By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ISIS in India: કર્ણાટક, કેરલમાં આઈએસઆઈએસ આતંકવાદીઓની મોટી સંખ્યામાં હાજરી : UN રિપોર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ISIS in India: કર્ણાટક, કેરલમાં આઈએસઆઈએસ આતંકવાદીઓની મોટી સંખ્યામાં હાજરી : UN રિપોર્ટ
GeneralNational

ISIS in India: કર્ણાટક, કેરલમાં આઈએસઆઈએસ આતંકવાદીઓની મોટી સંખ્યામાં હાજરી : UN રિપોર્ટ

HM News
Last updated: 25/07/2020 11:12 AM
HM News
5 years ago
Share
SHARE

બેંગલુરૂ : આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કેરલ અને કર્ણાટકમાં આઈએસઆઈએસ (ISIS in India) આતંકવાદીઓની મોટી સંખ્યા હોઈ શકે છે અને તે વાત પર પણ ધ્યાન અપાવ્યું કે,ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકવાદી સંગઠન,ક્ષેત્રમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે.માનવામાં આવે છે કે સંગઠને ભારત,પાકિસ્તાન,બાંગ્લાદેશ અને મ્યાનમારના 150થી 200 આતંકવાદી છે.

આઇએસઆઇએસ,અલ-કાયદા અને સાથી વ્યક્તિઓ અને સંસ્થાઓથી સંબંધિત વિશ્લેષણાત્મક સપોર્ટ અને મંજૂરીઓ મોનિટરિંગ ટીમની 26મી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ કાયદા તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરૂઝ, હેલમંદ અને કંધાર પ્રાંતોમાં કામ કરે છે.તેમાં કહેવામાં આવ્યું,માહિતી પ્રમાણે સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત,મ્યાનમાર અને પાકિસ્તાનથી 150થી 200ની વચ્ચે સભ્યો છે.એક્યૂઆઈએસના હાલના વડા ઓસામા મહમૂદ છે,જેણે માર્યા ગયેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે.સમાચાર છે કે એક્યૂઆઈએસ પોતાના આકાના મોતનો બદલો લેવા માટે ક્ષેત્રમાં જવાબી કાર્યવાહીનું ષડયંત્ર રચી રહ્યું છે.

રિપોર્ટ પ્રમાણે,એક સભ્ય રાષ્ટ્રએ માહિતી આપી કે 10 મે 2019ના જાહેર, આઈએસઆઈએલના ભારતીય સહયોગી (હિંદ વિલાયાહ)માં 180થી 200 વચ્ચે સભ્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે,કેરલ અને કર્ણાટક રાજ્યોમાં આઈએસઆઈએલની મોટી સંખ્યા છે.પાછલા વર્ષે મેમાં ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ,આઈએસઆઈએલ અને દાએશ તરીકે પણ ઓળખવામાં આવે છે) આતંકવાદી સંગઠને ભારતમાં નવો પ્રાંત સ્થાપવાનો દાવો કર્યો હતો.આ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ બાદ અનોખા પ્રકારની જાહેરાત હતી.

ખૂંખાર આતંકવાદી સંગઠને પોતાની અમાક સમાચાર એજન્સીના માધ્યમથી કહ્યુ હતું કે,નવી શાખાનું અરબી નામ વિલાયાહ ઓફ હિંદ (ભારત પ્રાંત) છે. જમ્મૂ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ દાવાને નકારી દીધો હતો.આ સિવાય કાશ્મીરમાં આઈએસઆઈએસના હુમલાને કથાકથિત ખુરાસાન પ્રાંતીય શાખા સાથે જોડવામાં આવતો રહે છે જેની રચના 2015મા થઈ હતી. જેનું લક્ષ્‍ય અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને પાસના ક્ષેત્રો હતા.

વાતાવરણમાં પલટો, દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી: હવામાન વિભાગ
હવે દર વર્ષે ઊજવાશે વડનગર ઉત્સવ
દિલ્હી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ જફરૂલ ઇસ્લામે ઝેર ઓક્યું : હિન્દુઓ વિરુદ્ધ આરબ રાષ્ટ્રોને ફરિયાદ કરવા મુસ્લિમોને ભડકાવ્યા
ઓક્સિજનની અછતથી કોઇ પણ કોરોના દર્દીનું મોત થયું નથી ઃ સરકાર
કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓએ પિઝા, ચિપ્સ અને સેન્ડવીચ જેવું ફાસ્ટફૂડ ખાવાનું ઓછું કર્યું
Share This Article
Facebook Email Print
Previous Article સિપ્લા ઓગસ્ટમાં લોન્ચ કરશે Ciplenza, કોરોનાને આપશે માત! આટલી હશે કિંમત
Next Article આજે શ્રાવણનો પ્રથમ સોમવાર, આ રીતે કરો ભોલેનાથની પૂજા, પ્રાપ્ત થશે અપાર કૃપા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up