અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં ભારતીય ઉદ્યોગપતિઓ પર નિશાનો સાધતા કહ્યું છે કે તેમણે ઠાઠ-માઠમાં મુગલો અને રાજાઓને પણ પાછળ છોડી દીધા છે.જ્યારે દેશમાં લાખો લોકો બેઘર છે.અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામાએ હાલમાં જ પોતાનું પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથેની પોતાની મુલાકાત અને અનૌપચારિક વાતચીત અંગે વાત કરતા ભારતીય ઉદ્યોગપતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સહયોગીઓ વગર થયેલી વાતચીત દરમિયાન મનમોહન સિંહે તેમને કહ્યું હતું કે,અનિશ્ચિતતા ભરેલા સમયમાં રાષ્ટ્રપતિ મહોદય ધાર્મિક અને જાતીય એકજૂટતાનું આહવાન બહેકાવનારું હોઈ શકે છે અને ભારતમાં અથવા કશે પણ રાજનેતાઓ માટે આવી વાત કરવી કોઈ કઠિન કામ નથી.
ઓબામાએ લખ્યું છે કે મેં માથુ હલાવતા, પ્રાગ યાત્રા દરમિયાન ચેકોસ્લોવેકિયાના પૂર્વ રાષ્ટ્રપતિ વક્લાવ હવેલની સાથે થયેલી વાતચીત અને યુરોપમાં અસમાનતાના વધતા પ્રકોપ અંગેની તેમની ચેતવણી યાદ કરી હતી.જો વૈશ્વિકરણ અને ઐતિહાસિક સંકટ સંપન્ન દેશોમાં આ ટ્રેન્ડને વધતો જોઉ છું અને અમેરિકામાં પણ તેને ટી પાર્ટીમાં જોઈ શકું છું તો ભારત આમાંથી કંઈ રીતે બચી શકશે.ઓબામાએ લખ્યું છે કે,દેશભરમાં લાખો લોકો ગંદકી અને ગરીબીમાં જીવી રહ્યા છે. અકાળગ્રસ્ત ગામો અને ખરાબ વસ્તીમાં જીવન ગુજારી રહ્યા છે. તેવામાં ભારતના ઉદ્યોગ મહારથીઓ એવું જીવન જીવી રહ્યા છે જેને જોઈને કોઈ રાજા અને મહારાજાઓને પણ ઈર્ષ્યા થઈ જાય.
ભારત-પાકિસ્તાન મુદ્દા પર લોકોને પોતાની તરફ આકર્ષિત કરનારી રાજનીતિ પર બરાક ઓબામાએ લખ્યું છે કે પાકિસ્તાન પ્રત્યે શત્રુતાનો ભાવ વ્યક્ત કરવો રાષ્ટ્રને સરળતાથી એકજૂટ કરવાનો સૌથી સરળ રસ્તો છે.ઘણા બધા ભારતીયોને એ વાત પર ગર્વ છે કે પાકિસ્તાનનો મુકાબલો કરવા માટે દેશે પરમાણુ હથિયાર કાર્યક્રમ વિકસિત કર્યો છે. તેમને એ વાતથી કોઈ ફરક નથી કે કોઈ પણ તરફની ભૂલ જે-તે વિસ્તારનો નાશ કરી શકે છે.આ પુસ્તકમાં પૂર્વ રાષ્ટ્રપતિ બારક ઓબામાએ 2008ના તેમના ચૂંટણીના પ્રચારથી લઈને પહેલા કાર્યકાળના અંતમાં પાકિસ્તાનમાં અલ કાયદાના પ્રમુખ બરાક ઓબામાને મારવાના અભિયાન સુધીની યાત્રા અંગે વિગતવાર માહિતી આપી છે.આ પુસ્તકના બે ભાગ છે અને તેનો પહેલો ભાગ ગઈકાલે દુનિયાભરમાં જાહેર કરવામાં આવ્યો હતો.

