કોરોના સંક્રમણ ધીમી ગતિએ પણ સતત આગળ વધી રહ્યું છે.સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 124 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 50,816 પર પહોંચી છે.વધુ 1 મોત સાથે મૃત્યુઆંક 1133 પર પહોંચ્યો છે.આજે શહેરમાંથી 108 અને જિલ્લામાંથી 31 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 48,830 પર પહોંચી છે.હાલ શહેર અને જિલ્લામાં કુલ 853 એક્ટિવ કેસ છે.
વેપારી,પ્રોફેસર,બેંક અધિકારી સહિત અનેક સંક્રમીત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં એપીએમસીના ચેરમેન,વેપારી,પ્રોફેસર,બેંક અધિકારી સહિત અનેક કોરોના સંક્રમીત થયા છે.જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 4 વેપારી,ટેક્ષી ડ્રાઈવર,એલ એન્ડ ટી કર્મચારી,પેપર મીલના સેલ્સ મેનેજર,કાપડના વેપારી, ટીચર,ખેડૂત,વેસ્ટ ઝોનમાં ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના પ્રોફેસર,શેર માર્કેટના કર્મચારી,2 બેંક અધિકારી,કાપડ દલાલ,એલઆઈસીના અધિકારી,ઈસ્ટ ઝોનમાં નવી સિવિલના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થી,સેન્ટ્રલ ઝોનમાં એપીએમસીના ચેરમેન, આર્કિટેક્ટ, કાપડના વેપારી,નોર્થ ઝોનમાં ડાયમંડ ફેક્ટરીના મેનેજર,સ્કીન સ્પેશિયાલીસ્ટ, સ્પેરપાર્ટસના વેપારી અને નવી સિવિલ હોસ્પિટલના ફિઝીયોથેરાપીના 2 વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સ્મીમેર હોસ્પિટલમાં 2 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 41 પૈકી 11 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 0 વેન્ટિલેટર,3 બાઈપેપ અને 8 ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 11 પૈકી 6 દર્દીની હાલત ગંભીર છે.જેમાં 2 વેન્ટિલેટર,3 બાઈપેપ અને 1 ઓક્સિજન પર છે.