By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત છે ? ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કર્યો ફરી હુમલો, તુર્કીએ ઇઝરાયલને આપી ધમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત છે ? ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કર્યો ફરી હુમલો, તુર્કીએ ઇઝરાયલને આપી ધમકી
GeneralInternational

શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત છે ? ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કર્યો ફરી હુમલો, તુર્કીએ ઇઝરાયલને આપી ધમકી

HM News
Last updated: 17/05/2021 8:14 AM
HM News
4 years ago
Share
SHARE

ઇઝરાઇલે ફરી ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો અને ગઈરાત્રે સતત 10 મિનિટ સુધી વિમાનથી બોમ્બનો વરસાદ કર્યો હતો.પેલેસ્ટાઇનના ગાઝા શહેર પર ઇઝરાયેલે 60 હવાઇ હુમલા કર્યા હતા.ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે 8 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે છેલ્લા એક અઠવાડિયામાં હમાસે 3100 રોકેટ દાગ્યા છે.

ઇઝરાઇલના ઘણા શહેરોમાં લોકોની છેલ્લી ઘણી રાત વિસ્ફોટોના અવાજ વચ્ચે પસાર થઇ રહી છે.ગાઝા શહેરથી હમાસ રોકેટ હુમલો કરે છે,ત્યારે ઇઝરાઇલ તેની વાયુ સંરક્ષણ પ્રણાલીથી આ રોકેટનો આકાશમાં નાશ કરે છે.હમાસના કેટલાક રોકેટ ઇઝરાઇલને નુકસાન પહોંચાડી રહ્યા છે.ઇઝરાઇલના જુદા જુદા વિસ્તારોમાં હમાસના હુમલાથી નુકસાન પણ જોવા મળે છે.એક બાજુ ઇઝરાયલ ગાઝા પર હુમલો કરી રહ્યો છે,બીજી તરફ ઇઝરાયલની અંદર જ પેલેસ્ટાઇનના લોકો ઇઝરાયલની સેના વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઇનના સમર્થક ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે ઇઝરાયલમાં રહેતા પેલેસ્ટાઇનના સમર્થકોએ અનેક શહેરોમાં તોફાનો ફેલાવ્યા છે અને સેના સાથે ઘર્ષણ થઇ રહ્યું છે.

તુર્કીએ ઇઝરાયલને આપી ધમકી

હવે તો ઇઝરાયલ વિરુદ્ધ ઘણા મુસ્લિમ દેશ એક થઇ ગયા છે અને તેમાં તુર્કી સૌથી આગળ છે.તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગાને ઇઝરાયલને ધમકી આપી છે.એર્દોગાને જણાવ્યું કે સીરિયાઈ સરહદ પાસે જે પ્રકારે આતંકવાદીઓનો રસ્તો રોક્યો.એ જ પ્રકારે મસ્જીદ-એ-અક્સા તરફ વધી રહેલા હાથોને પણ તોડી દેશે.

માત્ર આતંકવાદીઓ જ છે નિશાના પર – બેંજામિન નેતન્યાહૂ

ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ જણાવ્યું કે હમાસ જાણી જોઇ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે અને પોતે સામાન્ય નાગરિકો પાછળ છુપાઇ રહ્યો છે.અમે અમારા લોકોને બચાવવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે.સામાન્ય લોકોને નુકશાન પહોંચાડ્યા વગર સીધા આતંકવાદીઓને નુકશાન બનાવી રહ્યા છે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને પોરબંદરમાં છેલ્લા છ કલાકમાં ભૂકંપના 10 થી વધુ આંચકા અનુભવાયા
સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, 1લી જાન્યુ.એ અંતિમ મતદાર યાદી જાહેર થશે
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 83,883 કેસ નોંધાયા
કહેવાતા કોરોના પ્રૂફ સી.આર પાટીલને બ્રહ્મજ્ઞાન લાદ્યું !! : વલસાડમાં હોલના ઉદ્દઘાટન બાદ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા ભાજપના પ્રદેશ પ્રમુખ મંચ પર જ ન આવ્યા
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ જાહેર, 95.41% સાથે ડાંગ જિલ્લાનું સૌથી વધુ પરિણામ
Share This Article
Facebook Email Print
Previous Article વર્લ્ડ વોરની દહેશત : ઇઝરાયલે ફરી કર્યો હુમલો,અત્યાર સુધીમાં ૨૦૦ના મોત
Next Article કેરળ – ગોવા – કર્ણાટકમાં વાવાઝોડાનું તાંડવ : ભારે તબાહી : ૧૧ના મોત : મુંબઇમાં વરસાદ : કાતિલ પવન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up