By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ શાસકો મોટા હપ્તા લેવાના કારણે દારૂબંધી કરી શકતા નથી: અમિત ચાવડા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ભાજપ શાસકો મોટા હપ્તા લેવાના કારણે દારૂબંધી કરી શકતા નથી: અમિત ચાવડા
AhmedabadGeneralGujarat Now

ભાજપ શાસકો મોટા હપ્તા લેવાના કારણે દારૂબંધી કરી શકતા નથી: અમિત ચાવડા

HM News
Last updated: 02/03/2020 8:01 AM
HM News
5 years ago
Share
SHARE

કચ્છના મુન્દ્રામાં લગ્ન પ્રંસગમાં થયેલી દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતન રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ફરીથી ગાંધીના ગુજરાતમાં દારુનો મુદ્દો ઉઠયો છે. એક તરફ સરકાર રાજ્યમાં કડક દારૂબંધીનો કાયદો હોવાની વાત કરે છે અને બીજી તરફ વિપક્ષ શાસકો પર હપ્તા લેવાના આક્ષેપો કરી રહી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યાંકને ક્યાંક મોટા હપ્તા લેવાના કારણે દારુબંધી કરી શકતા નથી. કાતો એમની ઈચ્છા શક્તિ નથી કે ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાય, બાપુના ગુજરાત તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને એ આપણી ઓળખ કાયમ નહીં રહે. કયાંકને ક્યાંક વિજયભાઈ વાતો તો મોટી કરે કે, અમારી સરકાર કડક હાથે પગલા લે છે અને પ્રદીપસિંહ ગર્જનાઓતો કરે પણ કદાચ હપ્તાના ભારથી તેમની ગર્જનાઓ અને વાતો દબાઈ જતી હોય છે.

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેં વિધાનસભાના ફ્લોર પર પણ કહ્યું છે કે, દારુબંધી અંગે સરકાર મક્કમ છે. આ એક સામાજિક દુષણ છે, વ્યશન મુક્તિના વ્યાપક પ્રમાણમાં પ્રયત્નો થવા જોઈએ. સરકારની કડક સુચના છે કે, જ્યાં પણ દારૂ ગળાતો હોય, ઉતરતો હોય તેની સામે કડક કાયદો બનાવીને આપણે વિષયને કડક રીતે લઇએ. ગુજરાત દારુબંધી વાળું ગુજરાત છે એટલે કચ્છ અને વાપીના બનાવમાં પણ સરકારે કડક સુચના આપી છે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે.

ભાજપ આગળ, ગાંધીનગર કમલમમાં ઉજવણી શરૂ
ધનિક દેશોએ કોરોના વેક્સિનના અડધોઅડધ ડોઝ એડવાન્સમાં ખરીદી લીધાનો ધડાકો
નૂપુર શર્માની હત્યા કરવા માંગતો હતો જૈશનો આતંકવાદી નદીમ, યુપીના સહારનપુરથી ધરપકડ
અજીત પવારના પુત્ર અને પરિવારજનો પર બીજા દિવસે પણ ITના દરોડા
તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલુએ તેમના પદેથી રાજીનામું આપ્યું
Share This Article
Facebook Email Print
Previous Article ત્રણ શહેરોમાં મેટ્રો માટે 40 હજાર કરોડ જોઇએ, સરકાર પાસે રૂપિયા નથી
Next Article ગુજરાત સરકારે આ ટેક્સ પેટે વેપારીઓ પાસ 18000 કરોડ લેવાના બાકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up