જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઓલિમ્પિક એથ્લેટિક્સમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડીને દેશનું 121 વર્ષનું સપનું પૂરુ કરી દીધું છે.તેણે શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં 87.58 મીટરનો બેસ્ટ થ્રો કરીને જેવલિન થ્રોનો ગોલ્ડ મેડલ પોતાના નામ પર કર્યો હતો. નીરજની આ જીતને આખો દેશ વધાવી રહ્યો છે.રાષ્ટ્રપતિ કોમનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન અને દેશનો દરેક નાગરિક નીરજને તેની જીત માટેની શુભેચ્છા પાઠવી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની જીત માટે ફોન પર તેને અભિનંદન પાઠવ્યા હતા.
નીરજની આ ઐતિહાસિક જીત પછી તેની પર ઈનમોનો વરસાદ થવાનો શરૂ થઈ ગયો હતો.જીતના 3 કલાકમાં જ નીરજને 13.15 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાતો કરી દેવામાં આવી હતી.તેમાં રાજ્ય સરકારોથી લઈને રેલવે,ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને પોતાના તરફથી નીરજને રોકડ રકમ ઈનામ તરીકે આપવાની જાહેરાત કરી છે.હરિયાણાના રહેનારા નીરજને રાજ્યના મુખ્યમંત્રીએ 6 કરોડ રૂપિયા રોકડ ઈનામ અને ક્લાસ વન જોબ આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેની જાહેરાત કરતા કહ્યું હતું કે અમે પંચકૂલામાં એથ્લિટો માટે સેન્ટર ફોર એક્સીલન્સનું નિર્માણ કરશું. નીરજ ઈચ્છે તો અમે તેને ત્યાંનો પ્રમુખ બનાવી દેશું.નીરજને 50 ટકાની છૂટ સાથે હરિયાણા સરકાર જમીન પણ આપશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. BCCIએ સિલ્વર મેડાલીસ્ટ મીરાબાઈ ચાનુ અને રવિ કુમાર દહિયાને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલીસ્ટ પીવી સિંધુ,લવલિના બોરગોહેન અને બજરંગ પુનિયાને 25-25 લાખ રૂપિયા રોકડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.ક્રિકેટ બોર્ડ તેની સાથે પુરુષ હોકી ટીમને પણ 1.25 કરોડ રૂપિયા આપશે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ ભારતીય સેનામાં કાર્યરત નીરજ ચોપરાને 2 કરોડ રૂપિયા રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે.કેપ્ટને કહ્યું છે કે એક સૈનિક તરીકે નીરજે દેશને ગૌરવ અપાવ્યું છે.તેની આ ઉપલબ્ધિ ઐતિહાસિક છે. તેની સાથે મણિપુર સરકારે પણ નીરજને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત આપી છે.મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી છે.
ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં પહેલવાન બજરંગ પુનિયાએ શનિવારે બ્રોન્ઝ જીત્યો હતો.હરિયાણાના બજરંગને રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે 2.5 કરોડ રૂપિયા રોકડા આપવાની સાથે એક સરકારી નોકરી અને 50 ટકા છૂટની સાથે જમીન આપવાની જાહેરાત કરી છે. તેની સાથે રેલવે તરફથી 1 કરોડ રૂપિયા, BCCI અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનએ 25-25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.રેલવેએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ અને તેમના કોચને પણ રોકડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.આ સિવાય વડાપ્રધાન દેશના સ્વાતંત્ર્ય દિવસ પર તમામ ઓલિમ્પિક ટીમને લાલ કિલ્લામાં મળશે.

