નવી િદલ્હી : દિલ્હી પોલીસે જહાંગીરપુરી હિંસીની ઘટનાની ગંભીર નોંધ લઇને પાંચ આરોપીઓ સામે નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ)ની કલમો લગાડી દીધી છે.આ કેસમાં પોલીસે આ ઘટનાના માસ્ટરમાઇન્ડ અંસારની સામે પણ કેસ નોંધ્યો છે. આ ઉપરાંત વીડિયોમાં ફાયરિંગ કરતો દેખાતો સોનુ પણ છે.દિલ્હી પોલીસે અત્યારસુધી આ કેસમાં ૨૦ લોકોની ધરપકડ કરી છે.આ તમામ લોકો સામે હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રા પર હુમલો કરવાનો આક્ષેપ છે.આ તમામના તાર બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી જોડાયા હોવાનું મનાય છે.બીજી બાજુ આ હુમલાના માસ્ટરમાઇન્ડ અંસાર આપથી જોડાયો હોવાના મામલે રાજકીય ભડકો થયો છે.આપ અને ભાજપે બન્ને સામે હિંસાના આરોપીઓ સાથે સંકળાયેલા હોવાનો પણ આરોપ મુક્યો છે.આપના સૌરભ ભારદ્વાજે આક્ષેપ કર્યો હતો કે મોહમ્મદ અંસાર ભાજપનો સક્રિય કાર્યકર છે.પાર્ટીએ અંસારે ભગવો ટોપી પહેરી હોવાની તસ્વીરો પણ જારી કરી છે.જોકે આ આરોપોને નકારતાં ભાજપે કહ્યું છે કે આપના નેતાઓ હિંસામાં તેના પાર્ટીના કાર્યકરોની ભૂમિકાથી ધ્યાન બીજે ખસેડવા માટે ખોટું બોલી રહ્યા છે.મુખ્ય આરોપી અંસારે જાન્યુઆરી ૨૦૨૦માં ભાજપ છોડી દીધો હતો અને વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ આપમાં જોડાયો હતો.અંસારી ૧૬ એપ્રિલની ઘટનામાં સામેલ હોવાથી આપના નેતાઓ તેના પર ઢાંકપિછોડો કરી રહ્યા છે.