By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દુનિયાભરમાં કોરોનાથી હાહાકાર, સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખને પાર, અમેરિકાની હાલત ખરાબ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દુનિયાભરમાં કોરોનાથી હાહાકાર, સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખને પાર, અમેરિકાની હાલત ખરાબ
GeneralInternational

દુનિયાભરમાં કોરોનાથી હાહાકાર, સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખને પાર, અમેરિકાની હાલત ખરાબ

HM News
Last updated: 22/03/2020 10:05 AM
HM News
5 years ago
Share
SHARE

કિલર કોરોના વાયરસના કહેરની સામે દુનિયાભરના દેશ બેહાલ દેખાઇ રહ્યા છે. આ મહામારીથી બચાવના તમામ પ્રયાસો બાદ પણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખના આંકડાને પાર કરી ગયો છે. ભારત સહિત દુનિયાના 188 દેશ હવે આ મહામારીથી ઝઝૂમી રહ્યા છે અને 13000થી વધુ લોકોના મોત થઇ ગયા છે. કોરોના પ્રભાવિત દેશોના મામલામાં સુપરપાવર અમેરિકા ત્રીજા નંબર પર પહોંચી ગયું છે.

સામાન્ય હોય કે ખાસ કોરોના વાયરસ કોઇને છોડી રહ્યું નથી. કોરોનાનો ખોફ એટલો વધી ગયો છે કે હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ અને તેમના પત્ની કેરેન પેંસનો કોવિડ-19 રિપોર્ટ કરાયો. તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિની ટીમનો એક સભ્ય કોરોનાથી સંક્રમિત થયો છે. જો કે સંક્રમિત વ્યક્તિનો પેંસ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઇ સીધો સંપર્ક થયો નથી.

અમેરિકા કોરોનાનું ત્રીજું સૌથી મોટું ગઢ
આની પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કોરોના વાયરસની તપાસ કરાવી હતી અને તેઓ સંક્રમિત જોવા મળ્યા નહોતા. કોરોનાને ધ્યાનમાં રાખતા વ્હાઇટ હાઉસે પરિસરમાં પ્રવેશ કરનારાઓ માટે સખ્ત નિયમ બનાવ્યા છે. સ્થિતિ એ છે કે અમેરિકા કોરોનાનો ત્રીજો સૌથી મોટો ગઢ બની ગયો છે. અહીં કોરોના વાયરસથી 26711 લોકો સંક્રમિત છે. એટલું જ નહીં ન્યૂયોર્ક શહેર હવે અમેરિકાનું ‘વુહાન’ બનવા જઇ રહ્યું છે. અહીં 8377 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.

ન્યૂયોર્ક શહેરની જેલોમાં કમ સે કમ 38 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ તમામની તપાસની મંજૂરી આપી જેનો રિપોર્ટ 45 મિનિટમાં જ મળી શકે છે.
બ્રિટનમાં અંદાજે 15 લોકોને ખતરો
આ બધાની વચ્ચે બ્રિટને અંદાજે 15 લાખ લોકોને કોરોના વાયરસની મહામારીની દ્રષ્ટિથી વધુ સંવેદનશીલ થયાની ઓળખ થઇ છે અને તેમને કમ સે કમ 12 સપ્તાહ માટે ઘરોમાં રહેવાનું કહ્યું છે. બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ હાડકા કે બ્લડ કેન્સરના દર્દી, ફેફસાં અને પાચન તંત્રને નુકસાન પહોંચાડનાર સિસ્ટિક ફાઇબ્રોસિસના દર્દીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

બ્રિટનના સામુદાયિક મંત્રી રોબર્ટ જેનરિકે એક નિવેદનમાં કહ્યું કે લોકોએ ઘરોમાં જ રહેવું જોઇએ. બ્રિટનમાં કોરોના વાયરસથી 177 લોકોના મોત થઇ ચૂકયા છે. ચિલીમાં 83 વર્ષના મહિલાનું કોરોના વાયરસથી મોત થયું છે. આ દેશમાં મોતનો પહેલો કેસ છે. ચિલીના સ્વાસ્થ્ય મંત્રી જૈમ મનાલિચે કહ્યું કે છેલ્લાં 24 કલાકમાં સંક્રમણના 103 નવા કેસ સમે આવ્યા છે જેથી કરીને સંક્રમિત લોકોની કુલ સંખ્યા 500 પર પહોંચી ગઇ છે. સરકારે લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આવી છે.

ઓસ્ટ્રેલિયાની અંદર પ્રવાસ પર પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે પોતાના નાગરિકોને રવિવારના રોજ દેશની અંદર કોઇપણ પ્રવાસ ના કરવાની સલાહ આપી છે. બિનજરૂરી મુસાફરી ના કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે આ વાત ત્યારે કહી જ્યારે દેશણાં કોરોના વાયરસના કેસ 1000 સુધી પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે હજુ કડક પગલાં ઉઠાવાશે.

ઇટલીમાં અત્યાર સુધીમાં 4825 લોકોના કોરોનાથી મોત
ઇટલીમાં પણ કોરોના પ્રભાવિત લોકોની સંખ્યા 53578એ પહોંચી ગઇ છે. અહીં સંક્રમણના 6557 કેસ સામે આવ્યા છે. ઇટલીમાં અત્યાર સુધીમાં 4825 લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે જે દુનિયામાં સૌથી વધુ છે. કોરોનાથી સંક્રમિત લોકોની યાદીમાં ચીન પહેલાં પહેલાં નંબર પર છે જ્યાં 81054 લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે.

રવાંડામાં શનિવારના રોજ કોરોના વાયરસના 17 કેસ નોંધાયા છે જે પૂર્વ આફ્રિકન ક્ષેત્રમાં સૌથી વધુ સંખ્યા છે. ત્યાં બોલિવિયાના ઉચ્ચ ચૂંટણી અધિકરણે શનિવારના રોજ જાહેરાત કરી કે તેઓ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના લીધે મે માં યોજાનાર સામાન્ય ચૂંટણી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી રહ્યા છે. બોલિવિયામાં કોરોના વાયરસના 19 કેસ સામે આવ્યા છે.

સુરત : નરાધમે 10 વર્ષની બાળકીને પીંખી નાંખી, હત્યા કરીને લાશ ઝાડીમાં ફેંકી
તવાંગ વિવાદ પર ઓવૈસીએ કર્યા પ્રહાર, કહ્યું- સેના મજબૂત છે પણ વડાપ્રધાન નબળા છે..
‘ઈઝરાયલને માન્યતા નહીં, યાત્રા પર લાગુ રહેશે પ્રતિબંધ’, પાસપોર્ટ મુદ્દે બાંગ્લાદેશની સ્પષ્ટતા
બંગાળમાં હુમલોઃ મોદીએ નડ્ડા, વિજયવર્ગીય સાથે વાત કરી
પુષ્ય નક્ષત્રનો દિવસ વેપારીઓને ફળ્યો, અમદાવાદમાં 125 કિલો સોનું, 1200 કિલો ચાંદી તો સુરતમાં 30 કરોડનું સોનું વેચાયું
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં 36 જ કલાકમાં 13ને કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા
Next Article કોરોનાના બીજા-ત્રીજા સ્ટેજની વચ્ચે ગુજરાતઃ હવે કેસ વધવાની આશંકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up