અમદાવાદ : સોમવાર : કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો કાચા માલના ભાવ અંદાજે ૩૦થી ૪૦ ટકા વધી જતાં ઔદ્યોગિક એકમને જૂના મોર્ટગેજ પર વધારાનું ૫૦ ટકા ફાઈનાન્સ આપવાની માગણી કરવામાં આવી છે. કાચા માલના ભાવમાં આવેલો વધારો ફિનિશ્ડ ગુડ્સ પર નાખી શકાતો નથી.તેથી ઉદ્યોગોની વકગ કેપિટલની વધારાની જરૃર પડે છે.તેથી મોર્ટગેજ સાથેના વર્તમાન ધિરાણ પર ૫૦ ટકા વધુ વકગ કેપિટલ લોન તરીકે પૂરી પાડવી જોઈએ.મશીનરી ખરીદવા માટેની લોન પર સરકાર વ્યાજ સબસિડી આપે જ છે.આ સબસિડીનો વ્યાપ વધારી દેવામાં આવે તો નાના અને મધ્યમ કદના એકમોની સમસ્યા હળવી થઈ જાય તેમ છે.આ યોજનામાં દસથી બાર ટકા વ્યાજે મળતા નાણાં પર સરકાર પાંચેક ટકાની વ્યાજની સબસિડી આપે છે.
કાચા માલના ભાવ વધી જતાં વકગ કેપિટલની વધારાની જરૃરિયાતને પૂરી કરવી તકલીફદાયક છે.નાના ઉદ્યોગોને કોઈ જ રસ્તો દેખાતો નથી.અત્યારે બેન્કમાંથી એક કરોડની લોન લીધી હોય અને તેમાં એક લાખનો પણ વધારો માગવામાં આવે તો બેન્કમાં અરજી કરવી પડે છે.તેમાં રિ-મોર્ટગેજ પણ માગવામાં આવે છે. રિ-રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવવામાં આવે છે.આ પ્રક્રિયા થતાં બીજા છ મહિના લાગી જાય છે. આ ગાળામાં ઉદ્યોગોને માટે અસ્તિત્વ ટકાવવું કઠીન બની જાય છે,એમ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસએમઈ એસોસિયેશનના નેશનલ વાઈસ પ્રેસિડન્ટ કે.ટી.પટેલનું કહેવું છે.તેથી જૂના મોર્ટગેજ પર જ કોઈપણ વધારાની જફા વિના તેમને એડિશનલ ફાઈનાન્સ આપી દેવું જોઈએ.
બેન્ક લોન પર ઇન્ટરેસ્ટ સબસિડી આપવાની જોગવાઈ એમએસએમઈ માટે કરવામાં આવી છે.આ જ જોગવાઈને એડિશનલ લોન માટે પણ લાગુ કરવામાં આવે તે જરૃરી છે,એમ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના વર્તમાન પ્રમુખ ડિમ્પલ પટેલનું કહેવું છે.ઉપરાંત અત્યારે ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોટી સમસ્યા ઇંધણની છે.રશિયા યુક્રેનના યુદ્ધને કારણેસમસ્યા બહુ જ વકરી રહી છે.ઉદ્યોગોની પાયાની પ્રક્રિયા માટે જરૃરી ડીઝલ,કોલસો,ગેસ અત્યંત મોંઘા થયા છે.આ સ્થિતિમાાં પાવર કટની સમસ્યા વધુ મુશ્કેલ ન બને તે જોવાવું જરૃરી છે.તનો સામનો કરવા માટે અત્યારથી જ આયોજન થવું જરૃરી છે.આ આયોજન ન થાય તો ઔદ્યોગિક એકમો માટે તેમના ખર્ચાઓ કાઢવા પણ મુશ્કેેલ બનશે.આ સમસ્યાને હળવી કરવા માટે ગુજરાતના ઉદ્યોગો સરકાર પાસે વીજળીના દરમાં સબસિડીની માગણી કરી શકે છે.
ભારતમાંથી નિકાસ વધારવા હાલમાં ગુજરાતના નાના અને મધ્યમ એકમો માટે સારી તક છે.રશિયા અને ચીનની નિકાસ ઘટી છે ત્યારે ભારત માટે નિકાસના બજારમાં વર્ચસ્વ જમાવવાની સારી તક છે. રોડટેપના નામે ઓળખાતી -રિફંડ ઓફ ડયૂટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સએ ભારત સરકારના વાણિજ્ય મંત્રાયલની નિકાસકારો માટેની યોજના હેઠળ નિકાસકારોને કેન્દ્રિય,રાજ્યના વેરાઓ અને સ્થાનિક સ્તરે લેવાતી અને ચૂકવી દેવામાં આવેલી ડયૂટીના નાણાંનું રિફંડ અપાય છે.કમનસીબી આ યોજના હેઠળ નિકાસકારોને પરત આપવાના થતાં નાણાં આજ સુધી પરત કરવામાં આવ્યા જ નથી. નિકાસકારોના રિફંડના કરોડો રૃપિયા અટવાયેલા પડયા છે.આ યોજના હેઠળ લાભ આપવા માટેનું નોટિફિકેશન વહેલામાં વહેલું બહાર પાડવું જોઈએ.વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મિહિર પટેલનું કહેવું છે કે રોડટેપમાં મળતા લાભ એમઈઆઈએસ હેઠળ મળતા લાભની તુલનાએ અડધાથી પણ ઓેછા છે.


