દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર તથા લોકોના ટેસ્ટીગ માટે સુવિધા ઉભી કરવા નાણાકીય ભંડોળ એકત્ર કરવા પીએમ કેર ફંડની રચના કરવામાં આવી છે. આ ફંડમાં પેટીએમ કંપનીએ 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કંપનીએ જાહેરાત કરી છે કે, તે પીએમ-કેર ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કરશે. આ ઉપરાંત યુપીઆઈ અથવા પેટીએમ બેન્ક ડેબિટ કાર્ડ અથવા વોલેટનો ઉપયોગ કરવા બદલ તે વધારાના દસ રૂપિયા ફાળો આપશે. ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમએ કોવિડ -19 સંકટને પહોંચી વળવા તેના પ્લેટફોર્મ દ્વારા વડા પ્રધાન નાગરિક સહાય અને ઇમર્જન્સી રિલીફ ફંડ માટે 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.કંપનીના નિવેદનમાં જણાવ્યું છે કે, વધુ 10 દિવસની અંદર, પેટીએમ એપ્લિકેશન દ્વારા રકમ 100 કરોડને વટાવી ગયો છે.વધુમાં કંપનીએ કહ્યું કે, તેના કર્મચારીઓએ પણ ફાળો આપ્યો છે.