[weather_data]
Breaking News
TRENDING NEWS

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!

[updated_date] [post_views]

Table of Content

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૭૧૮.૭૧ સામે ૬૦૭૫૫.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૧૯૯.૫૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૩.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૬.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૩૨૨.૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૪૧.૦૦ સામે ૧૮૧૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૭૮.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૧.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૪.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૮૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય મજબૂતીએ થયા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સતત એક તરફી તેજી બાદ આજે ભારતીય શેરબજાર પર મંદીવાળાઓએ આખરે પોતાની પકડ બનાવી લીધી હતી. તેજીના અતિના અતિરેક બાદ આખરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોને ભારતીય શેરબજારોમાં રોકાણ મોંઘુ લાગવા માંડયું છે. વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય શેરબજારોમાં રોકાણ ઓવરવેલ્યુ – મોંઘું હોવાનું જણાવ્યા સાથે એફપીઆઈઝની શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અફડાતફડી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી હાથ ધરી હતી. બજારમાં મંદીવાળાઓએ પકડ મજબૂત કરવા પૂરતું જોર લગાવી દીધા સામે તેજીવાળાઓ ઘટાડે બજારમાં તેજી કરીને મંદીવાળાઓને ફસાવવા પ્રયાસ કરવા લાગ્યા હતા. પરંતુ મંદીવાળાઓ આખરે બજાર પર પોતાનો કબજો જમાવવામાં સફળ થયા હતા.

વૈશ્વિક સ્તરે ચીન, રશિયા તેમજ યુકેમાં કોરોનાના કેસ વધતા ફરીથી લોકડાઉનના અમલથી વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની ભીતિ તેમજ કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કારણે મહામારીએ ફરી માથું ઉંચકતા સાવચેતીમાં બજારોમાં ધોવાણ વધતું જોવાયું હતું. ભારતીય શેરબજારમાં લાંબા સમયથી વિક્રમી તેજી અને ફોરેન ફંડો દ્વારા છેલ્લા બે દિવસ જંગી ખરીદી કર્યા બાદ આજે અપેક્ષિત અને અનિવાર્ય બની ગયેલું કરેકશન જોવા મળ્યું હતું. સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ ચોમેરથી આવેલી વેચવાલીના ભારે દબાણના પગલે આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, સીડીજીએસ, કેપિટલ ગુડ્સ, આઇટી, ઈન્ડસ્ટ્રીયલ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૯ અને વધનારની સંખ્યા ૧૬૦૨ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ઘરઆંગણે તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં લિક્વિડિટીની સાનુકૂળ સ્થિતિ, અર્થતંત્રમાં રિકવરીને લઈને આશાવાદ, રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો જેવા કારણોસર નાણાં વર્ષ ૨૦૨૧માં મજબૂત કામગીરી દર્શાવ્યા બાદ વર્તમાન નાણાં વર્ષમાં દેશના શેરબજારમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૨ એટલે કે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં શેરબજારોનું દૈનિક ટર્નઓવર વધીને રૂ.૫૬.૩૬ લાખ કરોડ રહ્યું છે. જે ગયા નાણાં વર્ષની સરખામણીએ બમણાથી પણ વધુ છે. નાણાં વર્ષ ૨૦૨૦માં દૈનિક ટર્નઓવરનો આંક જે રૂ.૧૪.૩૯ લાખ કરોડ રહ્યો હતો તે ૨૦૨૧માં ૯૪% વધી રૂ.૨૭.૯૨ લાખ કરોડ પર પહોંચી ગયો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.

શેરબજારોમાં કામકાજ વધવા સાથે બ્રોકરેજ પેઢીઓની આવકમાં છેલ્લા બે વર્ષમાં જોરદાર વધારો થયો છે.જો કે શેરબજારમાં બ્રોકરેજ હાઉસોની સ્પર્ધાનો બેન્ક બ્રોકરેજોએ સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાન્ઝકશન્સ વોલ્યુમની દ્રષ્ટિએ જોવા જઈએ તો, ઈક્રા રેટેડ બેન્ક બ્રોકરેજોનો બજાર હિસ્સો નાણાં વર્ષ ૨૦૨૧માં ઘટયો હતો અને વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક બ્રોકરેજ સિવાયના બ્રોકરેજ હાઉસોએ તાજેતરના દિવસોમાં તેમના ગ્રાહક સ્તરમાં જોરદાર વધારો હાંસલ કર્યો છે. આ સાથે ભારતીય શેરબજાર ખાસ્સા સમયથી ઓવરબોટ ઝોનમાં હોવાથી આગામી દિવસોમાં ફોરેન તથા સ્થાનિક ફંડો સાથે સ્થાનિક રોકાણકારો નફો બુક કરશે કે ખરીદીનો માહોલ યથાવત રાખશે તેનાં ઉપર ભારતીય શેરબજારનો આધાર રહેશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles