By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં બાંધકામ સહિતની ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને 20મી એપ્રિલથી શરતી મંજૂરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં બાંધકામ સહિતની ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને 20મી એપ્રિલથી શરતી મંજૂરી
GandhinagarGujarat Now

ગુજરાતમાં બાંધકામ સહિતની ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને 20મી એપ્રિલથી શરતી મંજૂરી

HM News
Last updated: 16/04/2020 11:52 AM
HM News
5 years ago
Share
SHARE

– સ્વરોજગારી મેળવનારા લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે

ગાંધીનગર,

દેશમાં 14 એપ્રિલના રોજ પૂર્ણ થનાર લોકડાઉનની સમય મર્યાદા લંબાવીને 3 મે સુધી કરવામાં આવી છે પણ જે વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણની અસર નથી અથવા નહિવત્ છે ત્યાં બાંધકામ સહિતની ઓદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને શરતોને આધિન મંજૂરી આપવાની જાહેરાત ગુરૂવારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા કરવામાં આવી છે. કોરોના હોટસ્પોટ અને ક્લસ્ટરમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને કે કોઈને સ્વરોજગાર માટે અવર-જવરની છુટ આપવામાં આવશે નહી.

શહેરોમાં બાંધકામ શરૂ કરવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે એ સિવાયના વિસ્તારમાં કડક શરતોના પાલન સાથે મંજૂરી આપવામાં આવશે.આ જ રીતે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ કદના ઉદ્યોગોને પણ કામકાજ શરૂ કરવાની છુટ અપાશે. આ ઉપરાંત ગુજરાતમાં પ્લમ્બર, કાર્પેન્ટર, સુથાર, ઈલેક્ટ્રિશ્યન જેવા લોકો 20 એપ્રિલ બાદ કામ કરી શકશે. આવા કેટલાક લોકો કે જેઓ સ્વરોજગારી મેળવનારા છે તેઓએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે.

બાંધકામ સાઈટ ઉપર આવનાર કારીગરોને ડેવલપર્સ દ્વારા રહેવા અને જમવાની સુવિધા કરી આપવી પડશે.આ વ્યવસ્થામાં કારીગરના ચેકઅપ માટે થર્મલ ગન, સેનિટાઝેશન,સોશિયલ ડિસ્ટન્સિગ જળવાયેલું રહે તેવી કેટલીક મહત્વની બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડશે.જો ડેવલપર્સ પાસે કારીગરોને રહેવા માટે સુવિધા ન હોય તો તેમને લાવવા મુકવાની વ્યવસ્થા કરવાની રહેશે.આ જોગવાઇઓ એમએસએમઈ એ પણ પાળવી પડશે.

સચિવ અશ્વિની કુમારે વધુમાં જણાવ્યું કે, 20 એપ્રિલથી ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ ઉદ્યોગો અને અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી માટે કલેકટરના અધ્યક્ષપણા હેઠળ એક સાત સભ્યની કમિટી બનાવવામાં આવી છે. જેમાં જીઆઇડીસીના વડા, જિલ્લા રોજગાર અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,ફેકટરી અધિકારી,મ્યુનિસિપાલીટીના નાયબ કમિશનર તથા સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ થાય છે.

ગત વર્ષે જે એજન્સીને કામગીરી સોંપાઇ તેને જ યુનિ.એ ફરી કામગીરી ફાળવી
કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી DRIએ વિદેશી સિગારેટનો 33 કરોડનો જથ્થો ઝડપાયો
જામનગર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રવિવારે ‘નગર પથ સંચલન’ યોજાયું પૂર્ણ
ગોંડલ નગરપાલિકાની તમામ 44 બેઠકો ભાજપે જીતી
અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ ફરી રેડ ઝોનમાં પહોંચ્યું , પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો સામે કાર્યવાહીમાં GPCBની નિરસતા
Share This Article
Facebook Email Print
Previous Article 20 એપ્રિલથી ઓનલાઇન મોબાઇલ ફ્રિજ, ટીવી ,સ્ટેશનરી ઓર્ડર કરી શકાશે
Next Article રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોનો વધારો થતાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ અઘરું : DGP શિવાનંદ ઝા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up