By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદમાં અત્યાર સુધી 10 વૉર્ડ રેડ ઝોનમાં, સુરતમાં કોરોનાનો કેર યથાવત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > અમદાવાદમાં અત્યાર સુધી 10 વૉર્ડ રેડ ઝોનમાં, સુરતમાં કોરોનાનો કેર યથાવત
GeneralGujarat NowSurat

અમદાવાદમાં અત્યાર સુધી 10 વૉર્ડ રેડ ઝોનમાં, સુરતમાં કોરોનાનો કેર યથાવત

HM News
Last updated: 04/05/2020 8:10 AM
HM News
5 years ago
Share
SHARE

શહેરમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે વરાછા-એ ઝોનમાં ફુલપાડા રેલવે ગરનાળાથી લઈને સરસ્વતી સર્કલથી વલ્લભાચાર્ય મેઇન રોડથી હીરાબાગ સર્કલથી મેઇન રોડ થઈ કાપોદ્રા ચાર રસ્તાથી કાપોદ્રા ઉતરાણ બ્રિજનો નદીકિનારા બાજુનો તમામ વિસ્તાર ફરજિયાત હોમ ક્વૉરન્ટીન કરાયો છે જેમાં આવતાં કુલ ૨૪,૮૬૭ ઘરોમાં રહેતા ૧,૦૭,૭૫૫ લોકોને ક્લસ્ટર તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત હોમ ક્વૉરન્ટીનમાં રહેવા પાલિકા કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી આદેશ કર્યો છે. જ્યારે ઉધના ઝોનમાં પણ ૩૧ હજાર લોકોને ફરજિયાત હોમ ક્વૉરન્ટીન કરાયા છે.

ઉધના ઝોનના ભેસ્તાન એચ-૧૫ આવાસના એ-૪૨થી એ-૪૪ અને એ-૪૯થી એ-૫૧માં આવેલાં ૯૬ ઘરોમાં રહેતા ૫૦૦ લોકોને ક્લસ્ટર તરીકે જાહેર કરાયા હતા જેમાં ફેરફાર કરીને હવેથી એચ-૧૫ આવાસના એથી ઈ બ્લૉકમાં આવેલાં કુલ ૪૨૦ બિલ્ડ‌િંગમાં આવેલાં ૬૮૮૬ ઘરોમાં રહેતા ૩૧,૮૬૨ લોકોને ક્લસ્ટર તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત ક્વૉરન્ટીનમાં રહેવા આદેશ કર્યો છે. રાંદરે બાદ લિંબાયત, વરાછા-એ અને ઉધના ઝોનમાંથી વધુ કેસ મળતાં આ વિસ્તારમાં સંક્રમણ વધારે ફેલાય નહીં એ માટે વધારે વિસ્તારો ક્લસ્ટર જાહેર કરાયા છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં ૨૮થી વધુ વિસ્તારોને ક્લસ્ટર જાહેર કરાયા છે.

સુરતમાં કોરોના મૃત્યુઆંક કરતાં રિકવર થનારાની સંખ્યામાં ધરખમ વધારો

અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ ૬૬૯ કેસ પૉઝિટિવ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી પાલિકાના જણાવ્યા પ્રમાણે ગઈ કાલ સુધીમાં ૩૦ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે ગઈ કાલ સુધીમાં ૧૩૬ દરદીઓને રજા આપી દેવામાં આવી છે. ગત રોજ નવા નોંધાયેલા ૧૭ કેસમાં સિવિલ હૉસ્પિટલના સ્ટાફ નર્સ, વ્યંડળ, તાતા કન્સલ્ટન્સી કંપનીના એન્જિનિયર તેમ જ એક પરિવારનાં માતા-પુત્રનો પણ સમાવેશ થયો છે.

કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ સિવિલ હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા બે મહિનાની બાળકી સહિત કુલ ૫૮ પૉઝિટિવ દરદીઓ સાજા થતાં શનિવારે તેમને રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં પહેલી વખત સૌથી વધુ ૫૮ દરદીઓને એકસાથે રજા આપવામાં આવી હતી. સુરત જિલ્લામાં મોતનો આંકડો ૩૦ પર પહોંચ્યો છે,જ્યારે રિકવર થનારનો આંક ૧૩૬ પર પહોંચ્યો છે. એથી મોતની સામે રિકવરીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

શહેરના ૩૩ ટકાથી વધુ કોરોના મોત જમાલપુરમાં જ થયા

કોરોના વાઇરસે ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં હાહાકાર મચાવ્યો છે.શહેરમાં લૉકડાઉન હોવા છતાં પણ દૈનિક ધોરણે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંકમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે.શહેરની આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે આજે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કમિશનર વિજય નેહરાએ પ્રેસ-કૉન્ફરન્સ કરી મહત્ત્વની માહિતી આપી છે.પ્રેસ- કૉન્ફરન્સમાં નેહરાએ કહ્યું કે કેન્દ્રે માર્ગદર્શક સૂચનાઓ આપી છે.એ સૂચનાઓ આજે રાજ્ય સરકાર બહાર પાડશે. આ સાથે તેમણે મણિનગર વૉર્ડને કન્ટેનમેન્ટ વૉર્ડ જાહેર કર્યો છે.એટલે કે મણિનગર વિસ્તાર હવે રેડ ઝોનમાં સામેલ થયો છે.આ સાથે શહેરમાં હવે વધુ એક વૉર્ડ રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

નેહરાએ કહ્યું કે ૧૦ કન્ટેનમેન્ટ વૉર્ડ માટે ખાસ સિનિયર અધિકારીઓની નિમણૂક કરાઈ છે.અમદાવાદમાં અત્યાર સુધી ૧૦ વૉર્ડ રેડ ઝોનમાં છે. આવા ૧૦ વૉર્ડ માટે ૧૦ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.નેહરાએ કહ્યું કે શહેરમાં લૉકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન નથી થતું.તેથી આ અધિકારીઓ પોલીસ સાથે સંકલન કરશે અને લૉકડાઉનના નિયમોનું પાલન કરવા માટે કામગીરી કરશે. આ અધિકારીઓ આગેવાનોને સંપૂર્ણ માહિતી આપશે.ઉપરાંત તેમણે માહિતી આપી કે કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને શહેરમાં ગાંધી બ્રિજ, નેહરુ બ્રિજ, દધિચી બ્રિજ, સરદાર બ્રિજ બંધ કરાયા છે. નેહરાએ કહ્યું કે આ સાથે અમદાવાદમાં કુલ પાંચ બ્રિજ પર અવરજવર બંધ કરવામાં આવી છે.

જ્યારે સુભાષ બ્રિજ અને એલિસ બ્રિજ પર હાલ વાહનવ્યવહાર ચાલુ રહેશે.આ સાથે વિજય નેહરાએ કોટ વિસ્તાર,જ્યાં કોરોનાનું જોખમ વધુ છે ત્યાંના લોકોને લૉકડાઉનનું પાલન કરવા અને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.નેહરાએ જમાલપુર વૉર્ડના નાગરિકોને ખાસ અપીલ કરી છે, કારણ કે ત્યાં કોરોનાનો મૃત્યુઆંક વધારે છે.

સિદ્ધુને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો, 34 વર્ષ જૂના રોડરેજ કેસમાં સખત કેદની સજા
તુળજા ભવાની મંદિરના મુદ્દે સાધુઓનું આંદોલન, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર અને સાધુઓ વચ્ચે ખેંચતાણ
સ્મીમેરમાં સ્ત્રીઓની નિર્વસ્ત્ર તપાસ કર્મચારી મંડળે ફરિયાદ કરતા તપાસ સમિતિ રચવામાં આવી
કોમી છમકલા બાદ બોડેલી સજ્જડ બંધ : હિન્દુ સમાજના યુવાનોએ રેલી યોજી
કહી દે જે નશામાં હતો, બચી જઈશ’ : ચિશ્તીને બચાવતા સીઓ
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉનના અંત બાદ ચીનના પર્યટન સ્થળો ખુલ્યા, બે દિવસમાં 10 લાખથી વધુ લોકો ફરવા આવ્યા
Next Article કોરોના મહામારી છુપાવવા ચીનની નવી ચાલ, વુહાન લેબે ગાયબ કરી દીધી વૈજ્ઞાનિકોની તસવીરો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up