By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગના દંડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આહવાનાં 2500 પરિવારોને કીટ વિતરણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગના દંડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આહવાનાં 2500 પરિવારોને કીટ વિતરણ
GeneralSouth Gujarat

ડાંગના દંડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આહવાનાં 2500 પરિવારોને કીટ વિતરણ

HM News
Last updated: 30/05/2020 10:28 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 30 મે : ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતેનાં દંડકેશ્વર મહાદેવ મંદિરનાં સભ્યો દ્વારા આહવા નગરનાં આશરે 2500થી વધારે પરિવારોને ડોર ટુ ડોર કીટનું વિતરણ કરવામાં આવી હતી.હાલમાં વૈશ્વિક મહામારી એવા કોરોનાના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે.ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને વ્હારે આવી છે.સરકાર દ્વારા પણ જરૂરિયાત મંદ લોકો સુધી અનાજની કીટો પહોંચાડવામાં આવી છે.કોવિડ 19ની અસરનાં કારણે લોકડાઉનમાં કેટલાય ધંધાઓ ઠપ થઇ જવા પામ્યા છે.સાથે જ રોજનું કમાઇ ખાનારા લોકો ઉપર ભારે મુસીબત આવી પડી છે.

જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતેનાં દંડકેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આજે આહવા નગરનાં આશરે 2500 જેટલા પરિવારોને ડોર ટુ ડોર જઇ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.દરેક પરિવારોમાં ગૃહિણીઓ માટે ઘર ઉપયોગી વસ્તુઓ તેમજ બાળકો માટે ફરસાણ,બિસ્કીટ્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતુ.સાથે જ આરોગ્ય સેતુની એપ વિશે લોકો જાણકારી પ્રાપ્ત કરે તે માટે આરોગ્ય સેતુ એપ વિશેના પેમ્પલેટ્સ પણ ઘરે ઘરે લોકોને આપીને કોવિડ 19 વિશે જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.દંડકેશ્વર મહાદેવ મંદિર આહવાનાં સભ્યો હરીરામભાઇ સાવંત,સ્નેહલભાઇ ઠાકરે તેમજ અન્ય આગેવાનોએ સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન,સેનિટાઇઝેસન,તેમજ માસ્ક પહેરીને સરકારના નિયમોનું પાલન કરી કીટ વિતરણો કરી હતી.

પાકિસ્તાની યુવતીનો દાવો – “ટ્રમ્પ મારા અબ્બુ છે, અમ્મી સાથે તે હમેશા લડતા, હું તેમને મળવા માંગુ છું”
ચીનમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે!
ફરી ભારતમાં વીજસંકટના એંધાણ : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અંધારપટ
દેશમુખ મતદાન કરવા આવશે ને ત્યાંથી ભાગી જશે
ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ ભલે કહે કે કોંગ્રેસ ધમકી ન આપે પણ રેમડેસિવીર ઇન્જેક્શન બાબતે જાણો કાયદો અને વકીલોનો અભિપ્રાય શું કહે છે…
Share This Article
Facebook Email Print
Previous Article સરકાર હમસે ડરતી હે, પુલીસ કો આગે કરતી હે’, કેવડિયામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોની અટકાયત
Next Article આહવામાં એક શ્રમજીવીના ઘરમાં આગ લાગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up