રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોનાથી સંક્રમિત દર્દીનો આંકડો ૨૦૫૫૪ પર પહોંચ્યો છે અને વધુ ૩૪ વ્યક્તિઓના મોત થતા મૃત્યુઆંક ૧૩૪૬ થયો છે.૬૯ વ્યક્તિઓ વેન્ટીલેટર પર છે.ગુજરાતમાં ૧૪૭૪૩ દર્દીઓ કોરોનાથી સાજા થઈ ઘરે પરત ફર્યા છે.રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીમાં વધારો થતાં ૫૦૦ને પાર થઈ ૫૧૦ નવા દર્દી નોંધાયા હતા.આજે રાજ્યમાં કોરોનાને લીધે ૩૪ વ્યક્તિઓના મોત થયા હતા.જેમાં અમદાવાદમાં ૨૬, સુરત અને અરવલ્લીમાં ૨-૨,ગાંધીનગર,ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ૧-૧ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૩૪૭ મૃત્યુ નોંધાયા છે.અમદાવાદમાં ૩૪૩, સુરતમાં ૭૩, વડોદરામાં ૩૫, ભાવનગરમાં ૮,ખેડામાં ૬, રાજકોટમાં ૫, મહેસાણા, અરવલ્લી,સાબરકાંઠા,સાણંદ,સુરેન્દ્રનગરમાં ૪-૪,ગાંધીનગર,કચ્છ, જામનગર, જુનાગઢ,પોરબંદર અને મોરબીમાં ૨-૨,પંચમહાલ,પાટણ,છોટા ઉદેપુર અને અન્ય રાજ્યમાં ૩-૩ નોંધાયા છે.રાજ્યમાં આજે કુલ એક્ટીવ કેસમાં ૬૯ વ્યક્તિ વેન્ટીલેટર પર અને ૫૩૯૫ સ્ટેબલ છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬૬૪૦૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે.રાજ્યના જુદા જુદા જિલ્લામાં ૨૧૨૨૯૧ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.જે પૈકી ૨૦૫૭૪૬ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૬૫૪૫ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે.ગુજરાતમાં કોરોનાનો આતંક દિવસે ને દિવસે વધતો જ જઈ રહ્યો છે.જેમાં અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવી રાખ્યો છે.અનલોક બાદ કોરોનાના આંકડામાં વધારો જ થઈ રહ્યો છે.