[weather_data]
Breaking News
TRENDING NEWS

ભાજપે શહેરોમાં મોટો ખેલ પાડ્યો – સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સ્થાનિક ચૂંટણીઓ થશે

[updated_date] [post_views]

Table of Content

ગાંધીનગર – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપે તૈયારી કરી દીધી છે. પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપની સરકારે રાજ્યના છ મહાનગરોની હદ વધારવાનો નિર્ણય કરતાં હવે આ શહેરોમાં વોર્ડ અને કોર્પોરેટરોની સંખ્યામાં વધારો થશે.કોરોના સંક્રમણ સમયે ભાજપના માથે માછલાં ધોવાઇ રહ્યાં છે અને કેન્દ્રીય મોવડીમંડળ કેટલાક મુદ્દે પ્રદેશ ભાજપની કામગીરીથી નારાજ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજય મેળવવો આવશ્યક છે.જો આ પરિણામ સારા આવ્યાં તો તેમને 2022 સુધી કોઇ હટાવી નહીં શકે.

ગુજરાતના ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં અમારૂં કામ વધી ગયું છે,કારણ કે અમદાવાદ,વડોદરા,સુરત,ભાવનગર,રાજકોટ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વધારવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેથી અમારે તમામ મહાનગરોમાં વોર્ડરચના નવેસરથી બનાવવી પડશે.ચૂંટણી ક્યારે યોજાશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ સ્થાનિક ચૂંટણી નિર્ધારિત સમય એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં થવાની છે. અમે રાજ્યભરની મતદાર યાદીની ચકાસણી પણ કરી રહ્યાં છીએ.

ગુજરાતમાં 2020ના અંતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી રાજ્યના છ મોટા શહેરો કે જ્યાં મહાનગરપાલિકાઓ આવેલી છે તેની હદ વધારવાની વિચારણા શરૂ કરી હતી તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે તમામ નગરપાલિકા,ગ્રામ પંચાયત અને મહાનગરોને ઔપચારિક પરિપત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક સંસ્થાઓને પૂછવામાં આવ્યું હતું કે મહાનગરમાં કેટલી ગ્રામપંચાયતો કે નગરપાલિકાઓને ભેળવી શકાય છે તેની યાદી ઝડપથી તૈયાર કરીને મોકલો વસતીના આધારે રાજ્ય સરકાર આ મુદ્દે તેનો અંતિમ નિર્ણય લેશે.

હવે આ વિભાગે ગામડાં અને કસ્બા તેમજ શહેરના બહારના વિસ્તારોના વિલયની તમામ દરખાસ્તો ચૂંટણી પહેલાં મંજૂર કરી દીધી છે. અમદાવાદમાં છેલ્લે 2007માં 30 જેટલા નવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવામાં આવ્યા હતા. હવે બીજા વિસ્તારોને પણ જોડવામાં આવ્યા છે.એવીજ રીતે ગાંધીનગરના બહારના વિસ્તારો જેવાં કે પેથાપુર,કુડાસણ,રાયસણ,સરગાસણ જેવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશનના દાયરામાં લાવવામાં આવ્યા છે.સુરત,રાજકોટ,વડોદરા અને ભાવનગરમાં પણ બહારના વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવાનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં જૂનાગઢને બાદ કરતાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ 2020ના અંત સમયે યોજાનારી છે.રાજ્ય સરકારનો લક્ષ્‍યાંક મોટા શહેરોની સરહદોને સંશોધિત કરવાનો હતો કે જેથી મહાનગરોમાં નવા ક્ષેત્રો સાથે વોર્ડની સંખ્યા પણ વધી શકે છે.જો કે આમ થવાથી મહાનગરો અને શહેરી વિકાસ સત્તામંડળો જેવાં કે ગુડા,સુડા,ભાડા,વુડા,ઔડા જેવા વિસ્તારોની સરહદોમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે.

શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ કહ્યું છે કે વહીવટી કામગીરી સાથે રાજનૈતિક પ્રભાવ પણ ઉભો થશે.રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવા પ્રસ્તાવોને મંજૂરી આપ્યા પછી ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને ચૂંટણી પંચને વોર્ડરચના માટે મોકલી દેવાયું છે.કોરોના સંક્રમણના સમયે આ કામગીરીમાં વિલંબ થયો છે પરંતુ ચૂંટણીના નિર્ધારિત સમયમાં કોઇ ફેરફાર થાય તેવી સંભાવના નહીં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.ચૂંટણીની આચારસંહિતા ઓગષ્ટમાં લાગુ થાય તે પહેલાં રાજ્ય સરકાર મહાનગર,પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતો માટે કેટલાક પેકેજ બહાર પાડે તેવી પણ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles