By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નાગરિકતાનો પુરાવો ના હોય તો પણ માહિતીની અરજી નકારી શકાશે નહીં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નાગરિકતાનો પુરાવો ના હોય તો પણ માહિતીની અરજી નકારી શકાશે નહીં
GeneralNational

નાગરિકતાનો પુરાવો ના હોય તો પણ માહિતીની અરજી નકારી શકાશે નહીં

HM News
Last updated: 05/01/2021 6:00 AM
HM News
4 years ago
Share
SHARE

– સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનના ચૂકાદાને આધિન રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ કરવામાં આવેલી પ્રત્યેક અરજીમાં જવાબ આપવાનો રહેશે

નાગરિકતાનો પુરાવો ન હોય તો પણ માહિતી અધિકાર હેઠળ માગવામાં આવેલી અરજીની માહિતી આપવાની રહેશે તેવો ચૂકાદો સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને આપ્યો છે.કમિશને કહ્યું છે કે નાગરિકત્વનો પુરાવો ન અપાય તો પણ માહિતીને નકારી શકાશે નહીં. કેન્દ્રના માહિતી કમિશનર વણજા એન સરનાએ આરટીઆઇ એક્ટની કલમ-3 હેઠળ આ આદેશ કર્યો છે.

કોઇપણ વ્યક્તિ જ્યારે માહિતી માગતી હોય તો દર વખતે તેની નાગરિકતા સાબિત કરવાની રહેશે તેવું અગાઉ સૂચિત કરવામાં આવ્યું હતું.એવી હજારો અરજીઓ આવી હતી કે જેમાં ભારતીય નાગરિક છો કે કેમ તે સાબિત થઇ શક્યું નથી તેથી આવી અરજીઓની માહિતી આપવામાં આવી ન હતી.હવે ભારતીય નાગરિક હોવાના પ્રમાણપત્ર વિના પણ માહિતી મેળવી શકાશે.

આ નવો આદેશ કરવાનું મુખ્ય કારણ એવું હતું કે ઉત્તરપ્રદેશના લખનૌની સૈન્ય એન્જીનિયરીંગ સર્વિસિઝ પાસેથી માહિતી માગવામાં આવી હતી ત્યારે જાહેર માહિતી અધિકારી એ કોઇપણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો,કારણ કે આરટીઆઇની અરજી કરનાર વ્યક્તિએ તેની ભારતીય નાગરિકતાનો પુરાવો આપ્યો ન હતો.

આ આદેશને સીમાચિહ્નરૂપ ગણાવતા આરટીઆઇ એનજીઓએ કહ્યું હતું કે ગુજરાતમાં પણ એવા ઘણાં કિસ્સા બન્યાં છે કે જેમાં અરજી કરનારની નાગરિકતા પુરવાર થઇ નથી.એટલે કે અરજી કરનારા નાગરિકે ભારતીય હોવાનો કોઇ પુરાવો આપ્યો ન હતો.આ નાગરિકોની અરજીને રદ્દ કરી માહિતી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.તાજેતરમાં જ એક ઘટના સામે આવી હતી જેમાં ગુજરાત યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ આરટીઆઇ હેઠળ ઉત્તરવહીની નકલ માગી હતી પરંતુ જાહેર માહિતી અધિકારીએ અરજી સાથે નાગરિકતાનો પુરાવો માગીને માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.જો કે હવે પ્રત્યેક વ્યક્તિ આરટીઆઇ હેઠળ માહિતી માગી શકે છે.સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનનો આદેશ રાજ્યોના ઇન્ફર્મેશન કમિશનને લાગુ પડશે.

PM મોદીએ ફરી દિલ જીતી લીધું, ચેન્નાઈમાં BJPના દિવ્યાંગ કાર્યકર સાથે લીધેલો ફોટો Twitter પર શેર કરી લખ્યું A Special Selfie
ભાજપ સર્વધર્મ સમભાવને માને છે, કોઈ પણ ધર્મનુ અપમાન સ્વીકાર્ય નથી – નૂપુર શર્માની ટિપ્પણી મુદ્દે વિવાદ વચ્ચે BJPનુ નિવેદન
રાજપક્ષે દેશ છોડી માલદિવ્સ ભાગ્યા શ્રીલંકામાં ઈમરજન્સીઃ કરફ્યુ લદાયો
કંપનીનો રૃા.40 લાખનો માલ બારોબાર વેચી મારનાર સેલ્સમેનના જામીન રદ
ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોણ મંત્રી બનશે અને કોણ પડતા મૂકાશે? આ 2 લોકો પર છે મદાર
Share This Article
Facebook Email Print
Previous Article બારમણનો પરિવાર ચોટીલા દર્શને પહોંચે તે પહેલા જ અકસ્માત નડ્યો, ગાડી ચલાવનાર સદસ્યનું મોત
Next Article આ બે સહકારી બેન્કોને RBIની ફટકાર, લગાવ્યો 7 લાખ રૂપિયાનો દંડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up