[weather_data]
Breaking News
TRENDING NEWS

IsraelEmbassyમાં વિસ્ફોટની તપાસ માટે ઇઝરાયલની એજન્સી ભારત આવશે,ખરેખર કોનું કાવતરૂ?

[updated_date] [post_views]

Table of Content

શુક્રવારે સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં IsraelEmbassyની બહાર આઈઈડી વિસ્ફોટ બાદ હાહાકાર મચી ગયો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ સ્થળ પરથી એક પરબિડીયું મળી આવ્યું છે.જેના પર ઇઝરાયલી દૂતાવાસનું સરનામું લખેલું છે. સૂત્રોએ આ વિશે વધુ માહિતી આપી નથી.આ સિવાય,કેટલાક બોલ-બેરિંગ્સ પણ સ્થળ પર મળી આવ્યા છે જેનો ઉપયોગ બોમ્બ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

ઇઝરાયલ બ્લાસ્ટને આતંકી હુમલા તરીકે જોઈ રહ્યું છે
સૂત્રોએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ સ્થળ પરથી એક પરબિડીયું મળી આવ્યું છે.દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી અનિલ મિત્તલે કહ્યું હતું કે થયેલા બ્લાસ્ટના કારણે કેટલાક ગાડીના કાચ તૂટ્યા હતા.પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈએ સનસનાટી મચાવવા માટે આ કામ કર્યું છે.જો કે ઇઝરાયલ આને આતંકી હુમલા તરીકે જોઈ રહ્યું છે.

ઇઝરાયલની એજન્સી તપાસ માટે ભારત આવશે
જાણવા મળ્યું છે કે ઈજરાયલની તપાસ એજન્સી આ ઘટનાની તપાસ માટે ભારત આવશે. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇઝરાયલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટમાં મળેલા અન્ય એક સીસીટીવી ફૂટેજમાં એક કેબ દેખાઈ છે.જેમાંથી સ્થળ પર બે લોકો ઉતર્યા હતા અને ત્યારબાદ કેબ ચાલી નીકળી હતી.શંકાસ્પદ આ બંને શકશો ચાલતા ઘટના સ્થળ પર જતા જોવા મળી રહ્યા છે.સ્પેશીયલ સેલે કેબ ચાલકનો સંપર્ક સાધ્યો છે.ઉપરાંત શંકાસ્પદ આરોપીના ચહેરાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ ઘટનામાં બંને શંકાસ્પદ લોકોનો હાથ છે કે નહીં તે તપાસ બાદ જ ખ્યાલ આવશે.કેટલીક ગાડીના ફૂટ્યા હતા કાચ

આ તો એક ટ્રેલર હતું
સૂત્રના જણાવ્યા અનુસાર જે લેટર મળ્યો છે તેમાં ઇઝરાયલના રાજદૂતને સંબોધિત કરીને લખવામાં આવ્યું છે કે આ તો એક ‘ટ્રેલર’ હતું.જેમાં 2012માં બે ઈરાનીની હત્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.જેમાં ઈરાનના એક શક્તિશાળી જનરલ અને ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકનો ઉલ્લેખ હતો.દિલ્હી પોલીસ અને તપાસ એજન્સીઓ વિવિધ સ્થળોએ જઈ તપાસ કરી રહી છે જ્યાં શંકાસ્પદ લોકો છુપાયેલા હોઈ શકે છે.

બ્લાસ્ટ દરમિયાન થોડેક અંતરે ચાલી રહ્યું હતું‘બિટિંગ રીટ્રીટ’
ધડાકાના સમયે માત્ર દોઢ-બે કિલોમીટર દૂર જ‘બીટિંગ રીટ્રીટ’કાર્યક્રમની સમાપન વિધિ ચાલી રહી હતી.જેમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ,ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેન્યા નાયડુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત હતા.

બોમ્બને છોડના કુંડામાં લગાવવામાં આવ્યો હતો
સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બોમ્બ દૂતાવાસની બહારના કુંડામાં મૂકવામાં આવ્યો હતો.એક અધિકારીએ જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ વિસ્તારમાં બીજા બોમ્બ શોધવા માટે સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફોરેન્સિક નિષ્ણાંત ટીમે પણ સ્થળની મુલાકાત લીધી હતી.

સીસીટીવી કેમેરા કરવામાં આવી રહી છે તપાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles