By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ
GeneralNational

સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ

HM News
Last updated: 31/01/2021 6:03 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈની લાઈફલાઈન તરીકે જાણીતી લોકલ ટ્રેન 10 મહિના બાદ ફરીથી શરૂ થવા જઈ રહી છે.મુંબઈમાં લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન સોમવાર પહેલી ફેબ્રુઆરી 2021થી લોકો માટે શરૂ થઇ જશે.રેલવે મંત્રી પિયુષ ગોયલએ આ વાતની જાહેરાત કરતા કહ્યું હતું કે,માર પ્રિય મુંબઈવાસીઓ તમારા બધાની સુવિધા માટે મુંબઈની લોકલ ટ્રેન 1 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ કરવામાં આવશે.

ગોયલે ટ્વિટર પર જણાવ્યું હતું કે લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે દિવસની શરૂઆતથી સવારના સાત વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે 12 થી સાંજના ચાર વાગ્યા અને રાતના નવ વાગ્યાથી સર્વિસના અંત સુધી ઉપલબ્ધ રહેશે.મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ સવારે 7 થી બપોરના 12 અને સાંજના 4 થી 9 વાગ્યા સુધી ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે.રેલ્વે મંત્રીએ કહ્યું કે હું તમને બધાને અપીલ કરું છું કે મુસાફરી દરમિયાન કોરોના વાયરસ નિવારણ સંબંધિત તમામ નિયમોનું પાલન કરો. કોઈપણ પ્રકારની બેદરકારી આપણા અને અન્ય લોકો માટે સમસ્યા બની શકે છે.

આ પહેલા મહારાષ્ટ્ર સરકારે 1 ફેબ્રુઆરીથી મુંબઈમાં સામાન્ય લોકો માટે ઉપનગરીય ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી હતી.જણાવી દઈએ કે,લોકલ ટ્રેન ગયા વર્ષે માર્ચથી સામાન્ય લોકો માટે બંધ છે.આવશ્યક સેવાના કર્મચારીઓ માટે જૂનમાં લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.લોકડાઉન પહેલા સામાન્ય દિવસોમાં સેન્ટ્રલ રેલવે દરરોજ 177 સેવાઓનું સંચાલન કરતી હતી.જયારે વેસ્ટર્ન રેલવે 1367 સેવાઓનું સંચાલન કરતી હતી.હાલમાં રેલ્વે 2,985 સેવાઓનું સંચાલન કરી રહી છેજે કુલ સેવાના 95 ટકા જેટલી છે.

સરકારે સ્થાનિક ટ્રેન સેવાને લગતા એક પરિપત્રમાં કહ્યું છે કે તે તમામ સંસ્થાઓને તેમના કામના સમયપત્રકમાં થોડો ફેરફાર કરવા અપીલ કરશે.જેથી કર્મચારીઓ નિર્ધારિત સમયપત્રક મુજબ ઉપનગરીય ટ્રેન સેવાઓનો લાભ મેળવી શકે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર,મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં રેલ્વે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ દરમિયાન લોકલ ટ્રેનોમાં કોઈ ભીડ એકત્ર ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

નરોડામાં વૃધ્ધને ૧૫ ફૂટ ઢસડી મોત નીપજાવી કાર ચાલક ભાગી ગયો
દેશમુખ વિરુદ્ધ 100 કરોડની વસૂલીનાં આરોપોની તપાસ કરશે CBI, હાઈકોર્ટે કહ્યું- બધા આરોપો ખૂબ ગંભીર
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દેશવ્યાપી દરોડા: કરોડોનો હવાલા કરોબાર ઝડપાયો
BJPના જ સાંસદે શિક્ષણમંત્રીને પત્ર લખીને કહ્યુ-ઉદ્યોગપતિઓ બે નંબરના નાણામાંથી…
હવે જમીન, મકાન અંગેના દાવાની નોંધ 7/12ના ઉતારામાં નહીં થાય
Share This Article
Facebook Email Print
Previous Article ભારતીય શેરબજારમાં બજેટલક્ષી સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!
Next Article રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ, સ્વ. વિઠ્ઠલ રાદડિયા માટે અપશબ્દો બોલવામાં આવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up