By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખુલાસો : દર મહિને સલાઉદ્દીન શેખના એકાઉન્ટમાં લાખો રૂપિયાનું ફંડ વિદેશથી આવતું, જાણો કેવી રીતે ચાલતો ખેલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ખુલાસો : દર મહિને સલાઉદ્દીન શેખના એકાઉન્ટમાં લાખો રૂપિયાનું ફંડ વિદેશથી આવતું, જાણો કેવી રીતે ચાલતો ખેલ
GeneralNational

ખુલાસો : દર મહિને સલાઉદ્દીન શેખના એકાઉન્ટમાં લાખો રૂપિયાનું ફંડ વિદેશથી આવતું, જાણો કેવી રીતે ચાલતો ખેલ

HM News
Last updated: 05/07/2021 7:01 AM
HM News
4 years ago
Share
SHARE

યુપીમાં મુકબધીર બાળકોનું ધર્માતરણ કરાવવા હવાલાથી લાખો – કરોડો રૂપિયા પહોંચાડવાના રેકેટમાં ઝડપાયેલા ફતેગંજના સલાઉદ્દીનના એકાઉન્ટમાં દર મહિને લાખો – કરોડો રૂપિયાનું ફંડ વિદેશથી આવતું હોવાનું એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું.આ ઉપરાંત ગુજરાત એટીએસએ વડોદરાના પાંચ શખસોની પુછપરછ કરી હાલ જવા દીધા છે.જોકે, પાંચય જણાંની ગતીવિધિ પર એટીએસની નજર છે અને તેમની કુંડળી પણ એકત્ર કરવામાં આવી રહી છે.

આજવા રોડ પર સુલેમાની ચાલ સામે શાલીમાર ફ્લેટમાં આફમીન ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતો સલાઉદ્દીન શેખ (ઉં.વ.56) પાણીગેટ – હરણખાના રોડ પર આવેલા મુસ્લિમ મેડિકલ સેન્ટરનો મુખ્ય ટ્રસ્ટી પણ છે.સલાઉદ્દીન દેશભરમાં ધર્માતરણનું રેકેટ ચલાવતાં ઉત્તપ્રદેશના મૌલાના ઉમર ગૌતમ તથા મુફ્તિ કાજી જહાંગીર કશ્મીને હવાલાથી રૂપિયા પહોંચાડતો હતો.અત્યાર સુધીમાં સલાઉદ્દીને કરોડો રૂપિયા હવાલાથી તેમને મોકલ્યા હતા.

સલાઉદ્દીનના રેકેટનો પર્દાફાશ થયા બાદ યુપી એટીએસ તેને ઉંચકી ગઈ હતી.ઉત્તરપ્રદેશ એટીએસએ આરોપી સલાઉદ્દીન શેખને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જેમાં એવી હકિકત બહાર આવી છે કે, સલાઉદ્દીનના એકાઉન્ટમાં દર મહિને વિદેશથી લાખો – કરોડો રૂપિયાનું ફંડ આવતું હતું.જેમાંથી મોટી રકમ તે મૌલાના ઉમર અને મુફ્તિ કાજી જહાંગીરને હવાલાથી આપતો હતો.એટીએસની ટીમે સલાઉદ્દીનના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ પણ મેળવી લીધી છે.જેના આધારે સલાઉદ્દીન કોની સાથે સંપર્કમાં રહેતો હતો? તેણે ક્યાં ક્યાં વાતો કરી છે? તેના તાળા એટીએસ મેળવી રહી છે.આ ઉપરાંત એટીએસ દ્વારા સલાઉદ્દીનના વૉટ્સએપની પણ માહિતી મેળવવાની તજવીજ કરાઈ છે.

કોરોના કાળમાં પણ મુસ્લિમ મેડિકલ સેન્ટરે સેવાના નામે દર્દીઓને ખંખેર્યા?

પાણીગેટ – હરણખાના રોડ પર આવેલા મુસ્લિમ મેડિકલ સેન્ટરને કોવિડ સેન્ટરમાં ફેરવી દેવાયુું હતું. ત્યારબાદ આર્યુવેદિક પાસે બીજી હોસ્પિટલમાં શરૂ કરાઈ હતી.આ મુસ્લિમ મેડિકલ સેન્ટરે વેન્ટીલેટર ડોનેશનથી મેળવ્યાં હતા. તેમજ ખાવા – પીવાનું પણ દાત્તાઓ તરફથી આપવામાં આવતું હતું.એબ્યુલન્સ પણ ડૉનેટ થઈ હતી,તેમ છતાં દર્દીઓ પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા.માત્ર એક એમડી ડૉક્ટરનું જ સુપરવિઝન રહેતું હતું.જ્યારે બીએચએમએસ ડૉક્ટરોથી હોસ્પિટલ ચાલતી હતી.મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં પાર્કિગ નથી.ફાયરની એનઓસી વિના વર્ષોથી આ હોસ્પિટલ કાર્યરત હોઈ તાજેતરમાં સીલ કરાઈ હતી, તેમ છતાં હોસ્પિટમલાં દર્દીઓને દાખલ કરવામાં આવતાં હોવાનું જાણવા મળ્યું છે.એવું પણ કહેવાય છે કે, ફંડ મેળવવા માટે ફાટેલા કપડાં પહેરી ચોક્કસ વ્યક્તિઓને હોસ્પિટલમાં સુવડાવી દેવામાં આવતા હતા.

માહિર કોઠારીએ હિંદુ યુવકને કહ્યું, ઈસ્લામ કિતના અચ્છા હે, યે બુક પઢો

સ્થાનિક રહિશે જણાવ્યું હતું કે, મહેન્દ્ર કોઠારીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ તેનું નામ માહીર કરી નાંખ્યું હતું.તેઓ બજાજ 150 સ્કુટર લઈને મુસ્લિમ મેડિકલ સેન્ટર પર આવતા હતા,ત્યારથી હું તેમને ઓળખું છું.લાંબા સમય સુધી મુસ્લિમ મેડિકલ સેન્ટરના મુખ્ય ટ્રસ્ટી રહ્યાં બાદ માહીર કોઠારી ચમચમાતી કારમાં આવતાં થઈ ગયા હતા.તેઓ પણ અંદરખાને હિંદુઓ ધર્માતરણ કરી ઈસ્લામ અપનાવે, તેવું ઈચ્છતા હતા.એક વખત તેમણે મને એક બુક આપી કહ્યું કે, ઈસ કો પઢો, ઈસ્માલ કિતના અચ્છા હે, દો-તીન બીબી રખના કા ચાન્સ ભી દેતાં હે. જોકે, મેં તેમની વાતોમાં ન આવી તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે, બીજી વખત આ વાત મારી સમક્ષ કરતાં નહીં.દરમિયાન દુબઈમાં બ્રેઈન સ્ટોક આવ્યા બાદ માહીર કોઠારીનું અવસાન થયું હતું.

કચ્છમાં પણ ધર્માતરણ કરાવવા કટ્ટરપંથીઓએ ડેરા તંબુ તાણ્યા હતા

આધારભુત સૂત્રોના જણાવ્યા મુજબ, યુપીના મૌલાના ઉમર ગૌતમ પાસેથી મળેલા રજિસ્ટરના આધારે 400 લોકોને હિંદુમાંથી મુસ્લિમમાં કન્વર્ટ કરાયા છે.જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.છેલ્લા દોઢ દાયકાથી ઉમર ગૌતમ અને તેની ગેંગ આ જ કામ કરતી હતી.કહેવાય છે કે, કચ્છમાં પણ ધર્માતરણ કરાવવા કટ્ટરપંથીઓએ ડેરા તંબુ તાણ્યા હતા.લાંબા દિવસો સુધી ત્યાં રહીને કેટલાક હિંદુઓનું માઈન્ડ વૉશ કર્યું હતું,પરંતુ કેટલા વ્યક્તિઓને તેમણે કન્વર્ટ કર્યા છે? તેની માહિતી હજૂ સુધી બહાર આવી નથી.

ધર્માતરણ અને લવજેહાદના કિસ્સાઓમાં આઈબીનું નેટવર્ક ફેઈલ

વડોદરા શહેર અને જિલ્લામાં ધર્માતરણથી લઈ લવજેહાદની ઘટનાઓને અંજામ આપતી આખી ટોળકી સક્રિય છે, પરંતુ આઈબીનું નેટવર્ક નબળું હોવાથી મોટાભાગના બનાવોમાં ઘટના ન બને,ત્યાં સુધી હકિકત તેમની પાસે આવતી નથી.આઈબીનું તંત્ર મોટાભાગે કોણ ક્યાં પક્ષમાં જોડાયું? રાજકિય હલચલ શું થઈ રહી છે? સરકાર વિરુદ્વ કોણ આવેદનપત્ર આપવાનું છે? સરકારનો વિરોધ ક્યાં થઈ રહ્યો છે? જેવા મુદ્દાઓમાં જ વધુ રસ દાખવે છે.તેમાંય તાજેતરમાં વડોદરા આઈબીના ડીસીપી જયરાજસિંહ વાળાએ વડોદરા સિટીમાં બદલી કરાવી લીધી હતી.જેને લઈ આજે પણ આઈબીમાં ડીસીપીની જગ્યા ખાલી પડી છે.

ઉઇઘર મુસ્લિમો પર અત્યાચારઃ USએ ચીનની કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યા
અમેરિકા વંશિય હિંસા, હેટ ક્રાઇમ, ગન કલ્ચર પર અંકુશ મુકેઃ ભારત
એરલાઇન સેક્ટર માટે સારા સંકેત દેખાઈ રહ્યા છે, 2024 સુધી કુલ પેસેન્જર ટ્રાફિક 40 કરોડ કરવાનુ લક્ષ્ય: જ્યોતિરાદિત્ય સિંધિયા
ક્વોરી ઉદ્યોગની ૧૭ માંગણીઓ લેખિતમાં નહીં સ્વીકારાય તો હડતાળ યથાવત
કોરોના સામે જંગ: ગુજરાતમાં જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો : ફડણવીસે કહ્યું, ભાજપ અને શિવસેના દુશ્મન નથી
Next Article મહારાષ્ટ્રની ‘મહાખર્ચાળ’ સરકારે પ્રચાર-પ્રસાર પાછળ એક વર્ષમાં 155 કરોડ ફૂંકી નાખ્યા !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up