[weather_data]
Breaking News
TRENDING NEWS

ગુજરાતમાં વિકેન્ડ લોકડાઉન લાગશે ? ગુજરાતમાં પ્રાથમિક સ્કૂલો બંધ ધો. 9થી 11 ઓડ-ઈવન પ્રમાણે ચાલી શકે છે

[updated_date] [post_views]

Table of Content

રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે રાજ્ય સરકારે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ સમિટને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.આ સાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન યોજાતો ફ્લાવર શો વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રહેવાને કારણે રદ કરવામાં આવ્યો છે.ત્યારે ટ્રેડ શો સહિત સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

હવે પ્રાથમિક શાળાઓનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. શાળાઓ ધો. 1 થી 8 સંપૂર્ણપણે ઓફલાઈન બંધ રહેશે અને ઓનલાઈન ચાલુ રહેશે.જ્યારે 9 થી 11 સુધીની શાળાઓ 50% ક્ષમતા સાથે ઓડ ઈવન પદ્ધતિથી ચાલુ રહેશે.

અમદાવાદ શહેરમાં કોરો ફાટી નીકળવાની વચ્ચે 4 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું.સંત સંમેલનમાં હાજર રહેલા ભાજપના શહેર પ્રમુખ અમિત શાહ,શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ,ઉપપ્રમુખ દર્શક ઠાકરે અને પરેશ લાખાણી સહિતના નેતાઓ પોઝિટિવ આવ્યા છે.આશંકા હતી કે આ કાર્યક્રમના કારણે અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટી શકે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles