– રાજ્ય સરકાર નવી SOP જાહેર કરી રાત્રી કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી થઈ શકે છે, માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈનો કડક અમલ કરાશે.
રાજ્યમાં કોરોનાના કેસો વધવાને પગલે રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી છે.ગઇકાલે 6 જાન્યુઆરીએ મુખ્ય સચિવે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.ત્યાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પણ કોર કમિટીની બેઠક બોલાવી હતી.જેમાં નવા નિયંત્રણો અંગે નિર્ણય લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉથી લાગુ કરાયેલા કોરોના નિયંત્રણોની સમય મર્યાદા આજે (7 જાન્યુઆરી 2022) પૂર્ણ થાય છે.જેના પગલે સરકાર આજ સાંજ સુધીમાં નવી ગાઈડલાઈન જાહેર કરશે.નવી ગાઈડલાઈનમાં માસ્ક ફરજિયાત પહેરવા પર ભાર મુકાશે.માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈનો કડક અમલ કરાશે.હોટલ,રેસ્ટોરન્ટ,જિમ કાર્યરત રહેશે પણ તેમાં ક્ષમતા અંગે નિર્ણય લેવાઈ શકે છે.સામાજિક,રાજકીય,ધાર્મિક મેળાવડામાં પણ છુટછાટ ઘટી શકે છે.હાલ 400 લોકોની છૂટ છે તેને સરકાર ઘટાડી શકે છે.રાત્રિ કરફ્યૂના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે.રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂ અમલી બની શકે છે.
મુખ્યમંત્રીની કોર કમિટી સાથેની બેઠકમાં ચર્ચા થયા બાદ આજે સાંજ કે રાત સુધીમાં નવી SOP લાગુ થઈ શકે છે.સંક્રમણની ગંભીરતાને પગલે નવી SOPમાં રાત્રિ કર્ફ્યૂ વધી શકે છે.હાલમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી છે તેમાં 2થી 3 કલાક સુધીનો વધારો થઈ શકે છે.
વેપાર-ધંધાના સ્થળો માટે બનશે નવી SOP
સરકાર દ્વારા વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. હાલમાં રાત્રે 11 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે,જેમાં ફેરફાર કરીને આજ રાતથી રાત્રે 10 વાગ્યા સુધી જ કરી દેવાશે.આ ઉપરાંત દુકાનો કે શો-રૂમમાં ભીડ ન થાય તેનું ધ્યાન રાખવા,માસ્ક ફરજિયાત બનાવવા સહિના નિયંત્રણો આવી શકે છે.
દીવ-દમણમાં નવા નિયમો અમલી બનાવાયા
રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પ્રવેશ માટે નવા નિયમો અમલ કરવામાં આવી રહ્યા છે. દમણમાં પ્રવેશ મેળવવો હશે તો કોરોનાનો બીજો ડોઝ ફરજીયાત કરવામાં આવ્યો છે.બહારના પ્રદેશોમાંથી આવતા પ્રવાસીઓના વૅક્સીનના સર્ટિફિકેટની તપાસણી કરવામાં આવી રહી છે.જે લોકોએ કોરોનાનો બીજો ડોઝ નથી લીધો તેઓને પ્રવેશ કરતા રોકવામાં આવી રહ્યા છે.દીવ-દમણ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આદેશ બાદ તેનું અમલીકરણ પણ આજથી જ ચેકપોસ્ટો પર પોલીસ પહેરો લાગી ગયો છે.