નવી દિલ્હી, તા. 12 માર્ચ 2022 શનિવાર : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઘણા ખરાબ પ્રદર્શન બાદ પાર્ટીના નેતા,આમૂલ ‘સુધારા’ અને નેતૃત્વમાં પરિવર્તનની માગ કરવામાં આવી છે.આ માગ અત્યાર સુધી G-23 (23 અસંતુષ્ટ નેતાઓનુ ગ્રુપ) ના નેતા જ કરી રહ્યા હતા.જેમણે બે વર્ષ પહેલા સોનિયા ગાંધીને આ વખતે પત્ર લખ્યો હતો.કોંગ્રેસે ગુરૂવારે આવેલા પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામમાં પોતાની સત્તા વાળા પંજાબમાં પણ ગુમાવ્યુ.
વસતીની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં તો કોંગ્રેસની બે બેઠક જ આવી.ઉત્તરાખંડ,ગોવા અને મણિપુરમાં પણ પાર્ટી પોતાના પ્રદર્શનની અસર છોડવામાં નિષ્ફળ રહી.પરિસ્થિતિ એ છે કે પાર્ટી અત્યારેમાત્ર બે રાજ્યોમાં જ સત્તામાં રહી ગઈ છે.
આ વર્ષના અંતમાં પાર્ટીએ વધુ એક બડે ટેસ્ટથી પસાર થવાનુ છે જે મુખ્ય વિપક્ષી રીતે પાર્ટીના ભવિષ્યનો નિર્ણય કરી શકે છે.જો પાર્ટીએ ગુજરાત અને કર્ણાટકની ચૂંટણીમાં સારુ પ્રદર્શન ના કર્યુ તો આ રાજ્યસભમાં વિપક્ષના નેતાના પદને ગુમાવી શકે છે લોકસભાની જેમ,જ્યાં તે પદ પ્રાપ્ત કરવા માટે પૂરતી બેઠક મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ગાંધી પરિવારના નેતૃત્વ વિરુદ્ધ પાર્ટીમાં જ રહીને અવાજ ઉઠાવી રહેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના નામ ઉજાગર ન કરવાની શરત પર કહ્યુ,કોઈ સુધાર આવવાના નથી.આ નેતાઓએ કહ્યુ,ઘણુ મોડુ થઈ ગયુ છે. જે અનુસાર આ મુસીબતની આશંકા પહેલા જ વર્તાવાઈ ચૂકી છે.રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર દિલ્હીમાં કોંગ્રેસના નેતા પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

