By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકારી વિકાસની વાતો પોકળ : સમય અવધિ પૂર્ણ છતાં દસ્તાન રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સરકારી વિકાસની વાતો પોકળ : સમય અવધિ પૂર્ણ છતાં દસ્તાન રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું
GeneralSouth Gujarat

સરકારી વિકાસની વાતો પોકળ : સમય અવધિ પૂર્ણ છતાં દસ્તાન રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું

HM News
Last updated: 04/04/2022 9:39 AM
HM News
3 years ago
Share
SHARE

– કામ પૂર્ણ ન થતાં ભારતીય હિત રક્ષક પાર્ટીના અધ્યક્ષ સુનિલ સોનવણેની આંદોલનની ચીમકી 2018માં કામ પૂર્ણ કરવાનું હોય છતાં હજી પણ બ્રિજની કામગીરી પૂર્ણ ન થતાં બ્રિજ પર ઝાડી-ઝાંખરડા ઊગી નીકળ્યા

બારડોલી : વાત કરીએ વાહનોથી ધમધમતા કડોદરા બારડોલી માર્ગની તો આ માર્ગ પર આવતી દસ્તાન ફાટક પર 2016 માં રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઇ હતી અને કામ 2018 માં પૂર્ણ કરવાનું હતું.પરંતુ આજે આ બ્રિજની કામગીરી 2022 માં પણ પૂર્ણ નહિ થતા ભારતીય હિત રક્ષક પાર્ટીએ ફરી બાયો ચઢાવી છે અને ફરી એકવાર બ્રિજના મુદ્દે આંદોલની ચીમકી આપી છે.સરકાર પર તીખા પ્રહાર કરતા ભારતીય હિત રક્ષક પાર્ટીના અધ્યક્ષે આક્ષેપ કર્યા હતા કે આ વિકાસને શરમ નથી આવતી એટલે અમારી પાર્ટીએ બ્રિજ પર ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરડા ની સાફ સફાઈ અભિયાન ચલાવવાની જરૂર પડી છે.આવા શાશનથી ભગવાન બચાવે મુજબનું જણાવ્યુ છે.

​​​​​​​દસ્તાન ફાટક પર બની રહેલ બ્રિજ આમતો આ બ્રિજ 2016 માં વિધાનસભાની ચૂંટણી ને ધ્યાને રાખી આ બ્રિજનું ઉદ્ઘાટન કરી 2018 માં બ્રિજ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.પરંતુ અફસોસ 80 કરોડના ખર્ચે જે બ્રિજની કામગીરી 2016 માં શરૂ કરાઇ હતી એની સમય મર્યાદા પૂર્ણ થયાને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે.છતાં કામગીરી પૂર્ણ થઈ નથી જેના કારણે વાહન ચાલકો ટ્રાફિકનો ભોગ બની રહ્યા છે.જ્યારે જ્યારે ભારતીય હિત રક્ષક પાર્ટીના અધ્યક્ષ સુનિલ સોનવણેની આગેવાનીમાં આંદોલન થયા છે ત્યારે તેમની અને કાર્યકરોની પોલીસે અટક કરી છે.પરંતુ ફરી એકવાર ભારતીય હીત રક્ષક પાર્ટી અધ્યક્ષ એ 16 એપ્રિલથી દસ્તાન ખાતે આંદોલનની ચીમકી આપી છે.અને હાલમાં બ્રિજ પર ઊગી નીકળેલા ઝાડી ઝાંખરડાની સફાઈ અભિયાન કરી સરકારને મેસેજ આપ્યો હતો કે જવાબદારી તમારી છે પણ ભારતના નાગરિક તરીકે સાફ સફાઈ અમે કરી રહ્યા છે.સુરત જિલ્લામાં એવા ઘણા વિકાસના કામો છે જે અધૂરા રહી ગયા છે.અને જનતા પરેશાન છે દસ્તાન રેલવે ઓવરબ્રિજ હોય કે પછી કિમ રેલવે ઓવરબ્રિજ આજે પણ સમય મર્યાદા પૂર્ણ થયા પછી પણ કામ પૂર્ણ થયા નથી જેના કારણે આમ જનતા કહે છે સરકારનો વિકાસ ગાંડો થયો છે.તો ભારતીય હિત રક્ષક પાર્ટી કહે છે સરકારના આ વિકાસ ને કોઈ શરમ પણ નથી. પણ અમે પ્રજાના સુખાકારી માટે જ્યાં સુધી દસ્તાન રેલવે ઓવરબ્રિજ નહિ બને ત્યાં સુધી આંદોલન,ધરણા કરતા રહીશું મુજબનું જણાવ્યુ છે.

અમેરિકા સાથે તણાવના માહોલ વચ્ચે ઈરાને ઉપગ્રહ લોન્ચ કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને EDનું નવું સમન્સ, 13 જૂને હાજર થવા આદેશ
કોરોના સંક્રમણ ટાણે પણ સેવઉસળની પાર્ટી કરવા ભેગા થયેલા સાત પકડાયા
અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડનના પુત્રએ સેક્સ માટે 5 માસમાં 24 લાખ ખર્ચ્યા
HM EXCLUSIVE : સુરતમાં લેબગ્રોન ડાયમંડનો વેપાર કરતી જાણીતી કંપનીએ 1000 કરોડમાં ઉઠમણું કર્યું કે કાચી પડી !! ?
Share This Article
Facebook Email Print
Previous Article શ્રીલંકા : આર્થિક સંકટ વચ્ચે સેન્ટ્રલ બેંકના ગવર્નરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિની વિપક્ષને સરકારમાં સામેલ થવા અપીલ
Next Article સુરત ઓલપાડ રોડ પર 6 લેનનો નવો રેલ્વે ઓવરબ્રિજ બનશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up