3 મેએ આખા રાજ્યમાં અમે મહાઆરતી કરીશું, રાજ ઠાકરેએ કર્યુ એલાન

309

મહારાષ્ટ્ર,તા.20 એપ્રિલ 2020,બુધવાર : મહારાષ્ટ્રમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ સરકારને વધુ એક ચેતવણી આપી છે અને કહ્યુ છે કે, 3 મેના રોજ અમે આખા રાજ્યમાં મહાઆરતી કરીશું.આ માટે પોલીસ પાસે અત્યારથી પરવાનગી માંગવામાં આવશે.

રાજ ઠાકરેએ પોતાના હોદ્દેદારોની બેઠકને સંબોધન કર્યુ હતુ અને બેઠકની શરૂઆત જય શ્રી રામના નારા સાથે થઈ હતી.સાથે સાથે ઔરંગાબાદમાં થનારી જાહેર સભાની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ હતી.ઉલ્લેખનીય છે કે, મસ્જિદો પર વાગતા લાઉડ સ્પીકરનો મુદ્દો રાજ ઠાકરેએ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે, જો 3 મે સુધીમાં લાઉડ સ્પીકરો નહી હટે તો અમે પણ હનુમાનચાલીસા શરૂ કરીશું.એ પછી મહારાષ્ટ્ર સરકાર પણ હરકતમાં આવી છે અને તમામ પોલીસ અધિકારીઓને આદેશ અપાયો છે કે, સવારે 6 થી રાત્રીના દસ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે પરવાનગી આપવામાં આવે.

Share Now