ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું- હત્યામાં મારી કોઈ ભૂમિકા નથી, હત્યાનું કારણ જણાવ્યું

HM News
1 Min Read

નવી દિલ્હી : તા. 02 જૂન 2022, ગુરૂવાર : પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moosewala)ની હત્યા બાદ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના રિમાન્ડ પર છે.પોલીસે તેને જૂના કેસમાં રિમાન્ડ પર લીધો છે.(Lawrence Bishnoi)પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,લોરેન્સ પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. પોલીસને હજુ સુધી મૂસેવાલાના શૂટરોનો સુરાગ મળ્યો નથી.

પોલીસની પૂછપરછમાં ગેંગસ્ટર લોરેન્સે સિંગર મૂસેવાલાની હત્યાથી પોતાને દૂર રાખ્યો છે.સાથે જ સોશિયલ મીડિયા પોસ્ટ અંગે કોઈ માહિતી નથી એવી પણ વાત કરી છે.લોરેન્સે પોલીસને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જે પણ પોસ્ટ મૂકવામાં આવી રહી છે તેમાં તેનો કે તેની ગેંગની કોઈ ભૂમિકા નથી.પોલીસના જણાવ્યા અનુસાર,લોરેન્સે ચોક્કસપણે ખુલાસો કર્યો છે કે,વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા માટે મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી.આ સિવાય પંજાબની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા વર્ચસ્વના યુદ્ધની વાર્તા પણ સામે આવી છે.પંજાબ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ગેંગસ્ટર્સ પોતાના પૈસા રોકે છે. ગેંગસ્ટર્સ નવા કલાકારોને ડેબ્યૂ કરાવીને તેમના આલ્બમ બનાવે છે અને બાદમાં પ્રોફિટમાં શેર કરે છે.આ કારણોસર ત્યાંથી ઉભરતા કલાકારો આ ગુંડાઓના સંપર્કમાં આવે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *