નવી િદલ્હી : પયગંબર મોહમ્મદ સાહેબ પર ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઘણા મુસ્લિમ દેશોની આકરી પ્રતિક્રિયા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસના પ્રવક્તાએ આ મામલે નિવેદન આપ્યું છે.યુએનના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંગઠન તમામ ધર્મો માટે આદર અને સહિષ્ણુતાને દૃઢ રીતે પ્રોત્સાહન આપે છે.એક પાકિસ્તાની પત્રકારે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા અને પાર્ટીના દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલ દ્વારા પયગંબર સાહેબ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.તેમણે યુએન સેક્રેટરી જનરલની અનેક મુસ્લિમ દેશોની નિંદા અંગેની પ્રતિક્રિયા વિશે પૂછ્યું હતું,જેના પર તેમના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે આ નિવેદન આપ્યું હતું.દુજારિકે કહ્યું હતું કે મેં આ સંબંધિત સમાચાર જોયા હતા.મેં ટિપ્પણીઓ પણ જોઈ હતી.હું તમને જણાવી શકું છું કે અમે બધા ધર્મો માટે આદર અને સહિષ્ણુતાને ભારપૂર્વક પ્રોત્સાહિત કરીએ છીએ.જણાવી દઈએ કે ઘણા મુસ્લિમ દેશોએ પયગંબર સાહેબ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીનો વિરોધ કર્યો હતો.ઈરાન સહિત ઘણાએ ભારતીય રાજદૂતોને બોલાવ્યા આ પહેલા કતાર,ઈરાન અને કુવૈતે ભાજપના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રવિવારે ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા.

