અમદાવાદ : મંગળવાર : પૂર્વ વિસ્તારમાં ચોર લૂંટારુ ટોળકી બેફામ બની ચોરીયો અને લૂંટફાટ કરી રહી છે,મણિનગરમાં તેલના વેપારી પરિવાર સાથે કાકાની મરણ પ્રસંગે ઉત્તર ક્રિયા હોવાથી સવારે વતન ગયા હતા સાંજે આવીને જોયું તો મકાનના તાળા તોડીને તસ્કરો મકાનમાંથી રોકડા રૃા.૮૦,૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃા.૪.૫૪ લાખની મત્તાની ચોરી કરીને નાસી ગયા હતા.આ બનાવ અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાાસ હાથ ધરી છે.તેલના વેપારીના મકાનમાંથી રોકડા રૃા.૮૦,૦૦૦ અને રૃા.૩.૬૫ લાખના દાગીના લઇ જાણ ભેદુ ફરાર
આ કેસની વિગત એવી છે કે મણિનગરમાં રામબાગ ચાર રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિર પાસે જયનગર સોસાયટીમાં રહેતાઅને ઇસનપુર પટેલ વાડી સામે જમનાદાસ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામથી તેલનો વ્યવસાય કરતા મહેશભાઇ તુલજારાય મોહતા(ઉ.વ.૩૮)એ મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે કે વેપારીને કાકી મરણ પામ્યા હતા જેથી ગઇકાલે વતનમાં તેમની ઉત્તર ક્રિયા હોવાથી તેઓ પરિવાર સાથે સવારે વતન ગયા હતા.કપડવંજથી રાતે ૯.૩૦ વાગે ફરિયાદીના પત્નીએ ઘરે આવીને જોયું તો મકાનના દરવાજાનો નકૂચો તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૃમનું તાળું તોડીને લાકડી કબાડના ડ્રોઅરમાંથી રોકડા રૃા.૮૦,૦૦૦ અને રૃા. ૩.૬૫ લાખના સોના-ચાંદીના દાગી મળી કુલ રૃા. ૪.૫૪ લાખની મત્તાની ચોરી કરી હતી.