By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદ RTOના વેચાયા વગરના નંબરોનું ઈ-ઓક્શન કરાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ RTOના વેચાયા વગરના નંબરોનું ઈ-ઓક્શન કરાશે
AhmedabadGeneral

અમદાવાદ RTOના વેચાયા વગરના નંબરોનું ઈ-ઓક્શન કરાશે

HM News
Last updated: 14/06/2022 5:59 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ આરટીઓ કચેરી ખાતે અગાઉની સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબર વેચાયા વગરના પડ્યા રહ્યા હોઈ હવે તેમનું ઈ-ઓક્શન કરવાનું નક્કી કરાયું છે.આ માટે 16 જૂનથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગોલ્ડન અન સિલ્વર નંબરોની કિંમતમાં વધારો કરવામાં આવ્યા બાદ વાહન માલિકો આ નંબરો પ્રત્યે મોટી રકમ ખર્ચ કરતા અચકાતા હોવાના લીધે ઘણી સિરીઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબર વેચાયા વગરના બાકી રહ્યા છે.ગોલ્ડન અને સિલ્વર નંબર તેમની નક્કી કરેલી કિંમત કરતા ઓછી કિંમતમાં આપવામાં આવતા ન હોવાથી હવે બાકી રહેલા નંબરો માટે ઈ-ઓક્શન કરવામાં આવશે.

અમદાવાદ આરટીઓમાં નવી સિરીઝમાં ગોલ્ડન,સિલ્વર તથા અન્ય નંબરોનું ઈ-ઓક્શન કરવામાં આવે છે.જેમાં ગોલ્ડન નંબર માટેની બેઝ પ્રાઈઝ ફોર વ્હીલર માટે રૂ.40 હજાર અને ટુ વ્હીલર માટે રૂ.8 હજાર,સિલ્વર નંબર માટેની બેઝ પ્રાઈઝ ફોર વ્હીલર માટે રૂ.15 હજાર અને ટુ વ્હીલર માટે રૂ.3500 નક્કી કરવામાં આવી છે.જ્યારે બાકીના તમામ નંબરો માટે ફોર વ્હીલર માટે બેઝ પ્રાઈઝ રૂ.8 હજાર અને ટુ વ્હીલર માટે રૂ.2 હજાર નક્કી કરાઈ છે.આમ,ગોલ્ડન અને સિલ્વર નંબર માટેની બેઝ પ્રાઈઝમાં વધારો કરવામાં આવ્યા બાદ આ નંબરો લેવા માટે લોકોનો રસ ઘટ્યો હતો.

અમુક લોકો હજુ પણ ગોલ્ડન અન સિલ્વર નંબર ઉંચા ભાવે ખરીદી રહ્યા છે.પરંતુ અન્ય લોકો હવે તેમની પ્રત્યે આકર્ષાતા નથી.જેના પગલે આરટીઓની અનેક સિરીઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબર વેચાયા વગરના પડ્યા રહ્યા હતા.જેથી હવે અમદાવાદ આરટીઓ દ્વારા આ નંબરોનું ઈ-ઓક્શન કરવાનું આયોજન કર્યું છે.અમદાવાદ આરટીઓ કચેરીના ટુ વ્હીલર,ફોર વ્હીલર અને થ્રી વ્હીલરની અગાઉની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન નંબર અને સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન કરવાનું નક્કી કરાયું છે.જેમાં ઈ-ઓક્શન માટે રિજસ્ટ્રેશન 16 જૂનના રોજ શરૂ થશે અને 18 જૂનના રોજ રજિસ્ટ્રેશન બંધ થશે.ત્યારબાદ 19 જૂનના રોજ ઓક્શન શરૂ થશે અને 20 જૂનના રોજ ઓક્શન બંધ થશે.આ દરમિયાન જે પણ વાહન માલિકો ગોલ્ડન અથવા સિલ્વર નંબર લેવા માંગતા હોય તેઓ રજિસ્ટ્રેશન કરાવી ઓક્શનમાં ભાગ લઈ શકશે.

દાહોદ મેક ઈન ઈન્ડિયાનો ભાગ બનશે: અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં PM મોદી
સુરત જિલ્લામાં વરસાદના આગમન સાથે 1325 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર
પ્રોફેટ મોહંમદ વિવાદ : ઉઇગર મુસ્લિમોની કત્લેઆમ કરનાર ચીને ભારતને આપ્યું જ્ઞાન
કાશીની જ્ઞાનવાપી મસ્જિદની દિવાલ પર પ્રાચીન ઘંટ અને કમળ કોતરેલા જોવા મળ્યાનો દાવો
નવસારીના 22 ગામમાંથી પસાર થતા એક્સપ્રેસ વે જમીન સંપાદનમાં ખેડૂતોને 256 કરોડ ચૂકવાયા
Share This Article
Facebook Email Print
Previous Article રોડ કૌભાંડમાં જેની સામે પગલા લેવાયા તે કોન્ટ્રાકટર આર્બીટ્રેશનમાં મ્યુનિ. સામે કેસ જીત્યા
Next Article મ્યુનિ.હોલ-પાર્ટીપ્લોટનાં કોન્ટ્રાક્ટ આપી આવક ઊભી કરવા ભાજપની વિચારણા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up