નવી દિલ્હી : દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના મોબાઈલ સબસ્ક્રાઈબર્સની સંખ્યા એપ્રિલમાં 16.8 લાખ વધી હતી.બીજા ક્રમની સૌથી મોટી કંપની ભારતી એરટેલના 8.1 લાખ સબસ્ક્રાઈબર્સ વધ્યા હતા.વોડાફોન આઈડિયાએ 15.7 લાખ સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યા હતા.ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ટ્રાઈએ ગુરુવારે આ આંકડા જાહેર કર્યા હતા.ટ્રાઈના ડેટા અનુસાર જિયોના 16.8 લાખ યુઝર્સ વધતા તેના કુલ મોબાઈલ યુઝર્સની સંખ્યા વધીને 40.5 કરોડ થઈ ગઈ છે.ભારતી એરટેલના 8.1 લાખ યુઝર્સ વધતા તેના કુલ મોબાઈલ યુઝર્સ વધીને 36.11 કરોડ થયા છે.વોડાફોનના સબસ્ક્રાઈબર્સ ઘટીને 25.9 કરોડ થયા છે.
ટ્રાઈના ડેટા પરથી માલૂમ પડ્યું છે કે દેશમાં કુલ મોબાઈલ સબસ્ક્રાઈબર્સની સંખ્યા એપ્રિલના અંતે સાધારણ વધીને 114.3 કરોડ થઈ છે.શહેરી વિસ્તારોમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા 0.07 ટકા ઘટીને 62.4 કરોડ થઈ છે,જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં સંખ્યા 0.20 ટકા વધીને 51.8 કરોડ થઈ છે.કુલ બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર્સની સંખ્યા સધારણ વધીને 78.87 કરોડ થઈ છે.બ્રોડબેન્ડમાં રિલાયન્સ જિયોના 41.1 કરોડ સબસ્ક્રાઈબર્સ હતા,ભારતી એરટેલના 21.5 કરોડ અને વોડાફોન આઈડિયાના 12.2 કરોડ સબસ્ક્રાઈબર્સ એપ્રિલના અંતે હતા

