મુંબઈ : તા.22 જૂન 2022,બુધવાર : મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ટ્વિટ કરીને ઉદ્રવ ઠાકોરે પર કટાક્ષ કર્યો છે.અમૃતાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે,’એક થા કપટી રાજા’.જોકે તેમણે બાદમાં ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. જેને ઉદ્રવ ઠાકોરે ઉપર પ્રહારના સ્વરૂપમાં જોઈ શકાય છે.ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકાર(કોંગ્રેસ અને એનસીપી સાથે)મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય 21 ધારાસભ્યોએ ભાજપ શાસિત ગુજરાતમાં ધામા નાખ્યા બાદ સંકટમાં હોવાનું જણાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર,શિંદે મુખ્યમંત્રી સાથે ફોન પર માંગ કરી છે કે,શિવસેના ભાજપ સાથે પોતાનું ગઠબંધન કરે અને રાજ્યમાં શાસન ચાલુ રાખે.ઠાકરેએ તેમને પોતાના પગલા પર પુનર્વિચાર કરવા અને પરત ફરવાનું કહ્યું છે.શિંદે દાવો કર્યો છે કે,અત્યાર સુધી તેમણે કોઈ નિર્ણય લીધો નથી અને કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા નથી.સાથે જ તેમણે પાર્ટીના ભલા માટે આ પગલું ભર્યું છે.શિવસેનાના બે નેતાઓએ નારાજ શિંદે સાથે હોટલમાં 2 કલાક સુધી મુલાકાત કરી હતી.સાથે જ મહારાષ્ટ્રમાં ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે,પાર્ટી શિંદે સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે.


