By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશ મંદીના વિષચક્રમાં ફસાશે : કંપનીઓ દેવાળુ ફુંકશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > દેશ મંદીના વિષચક્રમાં ફસાશે : કંપનીઓ દેવાળુ ફુંકશે
BusinessGeneralNational

દેશ મંદીના વિષચક્રમાં ફસાશે : કંપનીઓ દેવાળુ ફુંકશે

HM News
Last updated: 28/03/2020 5:53 AM
HM News
5 years ago
Share
SHARE

-કોરોનાની ભારતીય અર્થવ્યવસ્થા ઉપર માઠી અસર પડશે
-રિસર્ચ એજન્સીનો દાવો :અનેક સેકટર ઉપર ખતરો
-વિકાસ દર ૫ ટકાની નીચે જશે

નવી દિલ્હી તા. ૨૮ :કોરોનાના મારથી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર માઠી અસર પડવાની શકયતા છે.રિસર્ચ એજન્સી ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના રિપોર્ટ મુજબ ૨૧ દિવસના લોકડાઉનથી કનિદૈ લાકિઅ અનેક સેકટરના ધંધાને માઠી અસર પડી છે.જેમાં રીયલ્ટી, નાણા,બેન્કીંગ, મેન્યુ. અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.એજન્સીના કહેવા મુજબ દેશ મંદીમાં ફસાશે અને અનેક કંપનીઓ નાદાર થાય તેવી શકયતા છે.સમગ્ર વિશ્વ ઉપર મંદીનો ખતરો મંડરાય રહ્યો છે.તેમાં ભારત બચી શકે તેમ નથી.૨૧ દિવસના લોકડાઉનથી વિકાસદર ઘટશે.કોરોના વાઇરસનો વધતો પ્રકોપ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે ખતરાની ઘંટડી બની રહ્યો છે.કોરોનાની ભારતીય અર્થતંત્ર પર ગંભીર અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.વિવિધ રિસર્ચ સંસ્થાઓના અભ્યાસ મુજબ ૨૧ દિવસના લોકડાઉનને કારણે ઘણાં સેકટર્સના વેપાર-ઉદ્યોગ પર અત્યંત ખરાબ અસર પડી રહી છે.આ સંજોગોને લઇ આગામી દિવસોમાં દેશમાં મંદીની અસર ગાઢ બનવાની શકયતા છે.ઉપરાંત ઘણી કંપનીઓ માંદી પડવાની પણ ભીતિ છે.મુશ્કેલી ભોગવી રહેલા મુખ્ય સેકટર્સમાં મેન્યુફેકચરિંગ,ઓઇલ,ફાઇનાન્સિયલ સહિત અનેક ક્ષેત્રનો સમાવેશ થાય છે.એજન્સીઓના તાજેતરના આર્થિક અનુમાન મુજબ,દેશ મંદીનું જોર વધવાની અને કંપનીઓ નાદાર થવાની શકયતા વધી ગઇ છે.સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા પર મંદીનો ભય વધી ગયો છે.જેનાથી ભારત પોતાને દૂર રાખી શકે તેમ નથી.મુખ્ય અર્થશા સ્ત્રી અરુણસિંહનું કહેવું છે કે,ચીનની સાથે દેશના અન્યઘણાં મેન્યુફેકચરિંગ હબ્સ લોકડાઉનમાંથી પસાર થઇ રહ્યા છે.લોકડાઉનને કારણે ભારતના વિકાસદરમાં વધુ ઘટાડો નોંધાઇ શકે છે.વર્ષ ૨૦૧૯-૨૦માં પાંચ ટકાના જૂના અંદાજ કરતા વધુ નીચે જઇ શકે છે.આવનારા નવા નાણાકીય વર્ષ માટે વિકાસદરનું અનુમાન લગાવવું મુશ્કેલ છે રિપોર્ટ મુજબ,લોકડાઉનને કારણે માર્ચ ૨૦૨૦ પછી વૈશ્વિક અને ઘરેલું વિકાસ દરને અસર થઇ શકે છે.ફેબ્રુઆરી -૨૦૨૦માં ઔદ્યોગિક વિકાસદર ૪થી ૪.૫ ટકા રહેવાનો અંદાજ છે.

નિઝરના વેલદામાં લગ્ન પ્રસંગે હજારોની ભીડ જામતા ગુનો દાખલ, PSI અને જમાદારને સસ્પેન્ડ કરાયા
ભારતની કેરી પહેલી જ વાર દરિયાઇ માર્ગે અમેરિકા રવાના
ન્યુયોર્કના કબ્રસ્તાનોમાં જગ્યા નથી : હવે સામૂહિક કબરોમાં દફન થઇ રહી છે લાશો : મૃત્યુઆંક ૧૮૦૦૦
જેતપુરની 15 વર્ષની હિંદુ સગીરાને સોશિયલ મીડિયા પર ફસાવીને અમરેલીના સાહિલે 3 વાર કર્યો બળાત્કાર
સુરતમાં ઉમેદવારી પત્રક ભરતી વખતે ભાજપ-આપ વચ્ચે સૂત્રોચાર
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ 53
Next Article કોરોનાના કારણે વિશ્વનો આર્થિક મંદીમાં પ્રવેશ : IMF
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up