[weather_data]
Breaking News
TRENDING NEWS

EDએ જપ્ત કરેલ 50 કરોડ મારા નથી : પાર્થ ચેટરજી

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી, તા. 1 ઓગસ્ટ 2022, સોમવાર : કરોડો રૂપિયાના શાળા ભરતી કૌભાંડના કેન્દ્રમાં રહેલા બંગાળના ભૂતપૂર્વ મંત્રી પાર્થ ચેટરજીએ રવિવારે દાવો કર્યો હતો કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા દરમિયાન મળેલા નાણાં તેમના નથી. જોકે, ED ના દરોડા દરમિયાન 3 ઘરમાં અંદાજે 50 કરોડની રોકડ રકમ મળી આવી હતી.

શું તેમની વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહ્યું છે?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, સમય આવશે ત્યારે તમને ખબર પડશે.ચેટર્જીએ કહ્યું કે, તેઓ એક ષડયંત્રનો શિકાર છે અને તેમને સસ્પેન્ડ કરવાના તૃણમૂલ કોંગ્રેસના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.તેમણે કહ્યું કે,”આ નિર્ણય (મને સસ્પેન્ડ કરવાનો) નિષ્પક્ષ તપાસને અસર કરી શકે છે,” એક સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાતા ચેટરજીએ તેમને મંત્રાલયમાંથી હટાવવાના પગલા અંગે કહ્યું કે, “તેમનો (બેનર્જીનો) નિર્ણય સાચો છે.

TMCમાંથી સસ્પેન્ડ

69 વર્ષીય ચેટરજીને વિવિધ વિભાગોના પ્રભારી મંત્રી તરીકેની તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને ગુરુવારે તેમને TMCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.તેમને પાર્ટીના તમામ હોદ્દા પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે.શહેરના કેટલાક ભાગોમાં તેમના નિવાસસ્થાનમાંથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત કર્યા પછી ED દ્વારા તેમની એક નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે.ટીએમસી નેતૃત્વએ તેમની ટિપ્પણીઓ સામે આપત્તિ ઉઠાવતા કહ્યું કે, ચેટર્જી પોતાના ભાગ્ય માટે પોતે જ જવાબદાર છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles