ભારતના રાષ્ટ્રપતિ તરીકે ‘પૃથ્વિરાજ ચૌહાણ’નું નામ આપીને ફસાયેલી આલિયાએ આ વખતે કહ્યું- લોકો બુદ્ધુ…

193

– હાલમાં એક ઈવેન્ટ દરમિયાન વર્તમાન રાષ્ટ્રપતિ નામ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેને તરત જ વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નામ જણાવ્યું હતું

મુંબઈ, તા. 02 જુલાઈ 2022, મંગળવાર : આલિયા ભટ્ટે કોફી વિથ કરણમાં ડેબ્યૂ કરતી વખતે એક ભૂલ કરી હતી.આલિયાને ભારતના રાષ્ટ્રપતિનું નામ પૂછવામાં આવ્યું હતું અને તેણે પૃથ્વીરાજ ચવ્હાણનું નામ આપ્યું હતું.જ્યારે તે સમયે ભારતના રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જી હતા.આલિયાની આ ભૂલથી લોકો દ્વારા તેની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી અને ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા.ત્યારે હાલમાં આલિયા ભટ્ટને એક કાર્યક્રમ દરમિયાન વર્તમાન રાષ્ટ્રપતિનું નામ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, જ્યારે લોકો તેને બુદ્ધુ સમજે છે તો તે પસંદ કરે છે.

આલિયા હાલમાં ફિલ્મ ડાર્લિંગનું પ્રમોશન કરી રહી છે.તે ફિલ્મની નિર્માતા પણ છે.હાલમાં એક ઈવેન્ટ દરમિયાન વર્તમાન રાષ્ટ્રપતિ નામ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેને તરત જ વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નામ જણાવ્યું હતું.જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે હવે પહેલા કરતા સ્માર્ટ અને બુદ્ધિશાળી માનવામાં આવે છે.તો આલિયાએ કહ્યું હતું કે, જ્યારે લોકો મને બુદ્ધુ કહે છે ત્યારે હું ખૂબ જ પસંદ કરૂં છું.

આલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે લોકો તેની મજાક ઉડાવે છે અને મીમ્સ બનાવે છે ત્યારે તેની લોકપ્રિયતા વધતી જાય છે.ત્યાર બાદ મારી ફિલ્મો પણ લોકોને પસંદ આવે છે.તેનો મતબલ આવો છે કે હું ફિલ્મોમાં ખૂબ જ આગળ વધી રહી છું. સાથે જ હું દરેક યુવતીઓને મેસેજ આપવા માંગું છું કે, મને લાગે છે જનરલ નોલેજ અથવા તો પુસ્તકોના જ્ઞાનથી માત્ર તમે વિદ્વાન નથી બનતા.આ દુનિયામાં ટકી રહેવા માટે તમારી પાસે ભાવનાત્મક બુદ્ધિ હોવી જોઈએ જે તમારી ઉચ્ચતમ બુદ્ધિ છે. આલિયાએ જણાવ્યું હતું કે, 2013માં કોફી વિથ કરણમાં તેને સાચો જવાબ ખબર હતી.

Share Now