– તેમના શિવ ભજનથી મુસ્લિમ ધર્મગુરુઓ નારાજ
– નાઝે કહ્યું કે તેઓ ગીત ગાય છે તેને લોકો પસંદ કરે છે
ઈન્ડિયન આઈડલ ફેમ અને ઉત્તરપ્રદેશના સિંગર ફરમાની નાઝએ કટ્ટરપંથીઓના નિશાના પર આવી ગઈ છે.તેમણે ગાયેલું ભજન મુસ્લિમ ધર્મગુરુઓને પસંદ પડ્યું નથી.તેમણે ફરમાનીએ ગાયેલા ગીતની નિંદા કરી છે.જોકે, ફરમાનીનું કહેવું છે કે કટ્ટરપંથીઓ દુઃખી થયા હોય તેને તે મહત્વ આપતા નથી.અમારા સહયોગી ટાઈમ્સ નાઉ સાથે સિંગર ફરમાનીએ વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું કે કલાકારનો કોઈ ધર્મ હોતો નથી.તે કવાલી,ભજન સહિત તમામ ગીતો ગાય છે.
મુઝફ્ફરના રહેવાસી ફરમાની પોતાના ભક્તિ ગીતો યુટ્યુબ પર અપલોડ કરે છે.શ્રાવણ મહિનામાં હર-હર શંભુ.. ભજન ઘણું જ લોકપ્રિય થઈ રહ્યું છે પરંતુ તેમની લોકપ્રિયતા અને શિવ ભજન મુસ્લિમ ધર્મગુરુઓને પસંદ પડ્યું નથી.ફરમાનીના ગીત પર કટ્ટરપંથીઓએ ફતવો બહાર પાડીને તેમણે કરેલા કામને હરામ ગણાવ્યું છે.ફરમાનીએ ઈન્ડિયન આઈડલમાં પણ ગીત ગાયા છે પરંતુ પોતાના બાળકની તબિયત ખરાબ હોવાથી તેણે રિયાલિટી શો છોડીને પરત આવવું પડ્યું હતું.
આજકાલ લોકોના મોઢા પર એક ગીત રહે છે અને એ ગીતના બોલ છે હર હર શંભૂ.જો કે હાલ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આ ગીત એક મુસ્લિમ સિંગર ફરમાની નાઝ એ ગાઈને તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યું હતું અને એ પછી તેનું એ ગીત ઘણું વાયરલ થયું હતું.લોકો તેના અવાજની ખૂબ પ્રસંસા કરી રહ્યા હતા ત્યાં બીજી બાજુ અમુક ધર્મના લોકો તેના સામે ગુસ્સો જાહેર કરી રહ્યા હતા.અમુક લોકો દ્વારા સિંગર ફરમાની નાઝના એ ગીત ગાવા પર ઘણા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.વિરોધ અને સમર્થનની આ જંગ વચ્ચે હવે સિંગર ફરમાની નાઝે તેની ચુપ્પી તોડી છે.જો કે આ ધર્મનો મુદ્દો ઉઠાવીને જે લોકો વિરોધ કરી રહ્યા હતા એ બધાને જવાબ આપતા સિંગર ફરમાની નાઝ એ કહ્યું હતું કે,એક આર્ટિસ્ટનો કોઈ ધર્મ નથી હોતો.જ્યારે હું ગીતો ગાઉં છું ત્યારે ધર્મ જેવી વાતોને ધ્યાનમાં નથી રાખતી.
આ સાથે જ સિંગર ફરમાની નાઝ એ આગળ કહ્યું હતું કે, મોહમ્મદ રફીએ અને માસ્ટર સલિમે પણ ભક્તિ ગીતો ગયા છે.તમને જણાવી દઇએ કે હાલ સિંગર ફરમાની નાઝના એ ગીતનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સિંગર ફરમાની નાઝએ આગળ કહ્યું હતું કે, હું મર્યાદામાં રહીને જ ગીતો ગાઉં છું અને કોઈ ધર્મને નુકસાન નથી પંહોચાડતી. વર્ષ 2018માં મારા લગ્નથી મને એક દીકરો થયો હતો અને તેને બીમાર હતો.એ પછી મારા પતિ અને સાસરાવાળા લોકોએ મને છોડી દીધી અને મારો અને મારા દીકરાનો ખર્ચો ઉઠાવવા માટે મેં એક કલાકાર તરીકે ગીત ગાવાની શરૂઆત કરી દીધી હતી.મને તલાક આપનાર મારા પતિએ બીજા લગ્ન કરી લીધા અને બધા લોકોએ એમનો સાથ આપ્યો હતો.હું હાલ જે કઈ પણ કરી રહી છું એ મારા બાળકના ભવિષ્ય માટે કરી રહી છું.
મુઝફ્ફરનગરની રહેવાસી સિંગર ફરમાની નાઝનો ઘણા લોકોએ વિરોધ કર્યો છે તો ઘણા લોકો એમના સમર્થનમાં પણ આવ્યા છે.સાથે જ એમના સંગીત અને અવાજને કારણે એમનું સમ્માન કરવાની વાતો પણ ચાલી રહી છે.