By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નેશનલ હાઇવે ઓથોરીટી લાંચ પ્રકરણમાં આરોપીઓની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > નેશનલ હાઇવે ઓથોરીટી લાંચ પ્રકરણમાં આરોપીઓની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ
AhmedabadGeneral

નેશનલ હાઇવે ઓથોરીટી લાંચ પ્રકરણમાં આરોપીઓની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ

HM News
Last updated: 14/08/2022 8:32 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022,શનિવાર : અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં કંપનીની તરફેણ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરીટીના ચીફ જનરલ મેનેજર દિગ્વિજયસિંહ મિશ્રા દ્વારા રુ.દસ લાખની લાંચ લેવાના ચકચારભર્યા કેસમાં આરોપી શિવપાલસીંગ ચૌધરી અને ઝાહીદ હુસૈન વિજાપુર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરાઇ છે.જો કે, સીબીઆઇએ સોગંદનામું રજૂ કરી આરોપીઓને આગોતરા જામીન આપવા સામે પોતાનો વિરોધ રજૂ કર્યો હતો.હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી છે.

સીબીઆઇએ સોંગદનામું કરી આરોપીઓને આગોતરા જામીન આપવા સામે વિરોધ કર્યો

આરોપી શિવપાલસીંગ ચૌધરી અને ઝાહીદ હુસૈન વિજાપુરની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં સીબીઆઇ તરફથી જણાવાયું હતું કે, આરોપીઓ વિરૂધ્ધ ગંભીર પ્રકારનો લાંચ કેસ છે અને ગંભીર ગુનાની તપાસ નાજુક તબક્કામાં છે.સમગ્ર પ્રકરણની તપાસ માટે આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે.આરોપીઓને સીઆરપીસીની કલમ-૪૧(એ) મુજબની નોટિસ પણ અપાયેલી છે,તેમ છતાં તેઓ કેસની તપાસમાં સાથ સહકાર આપતાં નથી.

નેશનલ હાઇવે ઓથોરીટીના ચકચારભર્યા લાંચ કેસમાં કુલ સાતથી વધુ આરોપીઓના નામ સામે આવ્યા હતા.જેમાં આરોપી ન્યુ ઇન્ડિયા કોન્ટ્રાકટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા.લિ.ના ડેપ્યુટી પ્રોજેકટ મેનેજર અંકુર મલ્હોત્રા,એમકેસી ઇન્ફ્રાસ્ટ્રકર પ્રા.લિ.ના મેનેજર આર.બી.સીંગ અને અરૂણ બાંભણીયાને સીબીઆઇ કોર્ટે શરતી જામીન આપ્યા હતા જયારે આરોપી ઠાકુરપ્રસાદ સીંગની જામીન અરજી તેમ જ હાલના આરોપીઓ શિવપાલસીંગ ચૌધરી અને ઝાહીદ હુસૈન વિજાપુરની આગોતરા જામીન અરજી ફગાવાઇ હતી. જેને પગલે આરોપીઓ હાઇકોર્ટમાં આવ્યા હતા.આરોપીઓ તરફથી બચાવ કરાયો હતો કે, તેમની આ કેસમાં કોઇ ભૂમિકા નથી કે, કોઇ પ્રથમદર્શનીય કેસ બનતો નથી,તેથી આગોતરા જામીન આપવા જોઇએ.

બારડોલીમાં આંબેડકર જયંતિની ઉજવણી
ભાજપ સંગઠને મહિલા જનપ્રતિનિધિઓને પતિઓને સાથે ન લાવવા સૂચના આપી
પ્રાથમિક સદસ્યતા 2022ના શુભારંભ સંદર્ભે જિલ્લા ભાજપની 17મીએ સાંકરી સ્વામિનારાયણ મંદિરે બેઠક
સરકાર હમસે ડરતી હે, પુલીસ કો આગે કરતી હે’, કેવડિયામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોની અટકાયત
TRP કૌભાંડમાં અર્ણવની લાંચ બદલ ધરપકડના ભણકારા
Share This Article
Facebook Email Print
Previous Article ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના MD શૈલેષ ભંડારીએ શેરહોલ્ડર્સના મહેનત-પરસેવાના કરોડો રૂ.ડુબાડયા
Next Article કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલી જ કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up