By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું? જાણો આ રહસ્ય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું? જાણો આ રહસ્ય
GeneralReligious

ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું? જાણો આ રહસ્ય

HM News
Last updated: 19/08/2022 8:31 AM
HM News
4 years ago
Share
SHARE

ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ દર વર્ષે શ્રાવણ માહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.એવી માન્યતાઓ છે કે ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનામાં કૃષ્ણની આઠમી તિથી રોહિણી નક્ષત્રમાં થયો હતો.પરંતુ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું હતું. આવો જાણીએ હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ આ વિશે શું કહે છે.

માનવજાત અને માનવતાનો નાશ કરનાર કુરુક્ષેત્ર યુદ્ધ સમાપ્ત થયું.પાંડવો તેમની જીતથી બહુ ખુશ ન હતા. આ બરબાદીથી તેનું મન પણ ક્યાંક વ્યથિત હતું.તેથી પાંડવો,શ્રી કૃષ્ણ સાથે,દુર્યોધનના મૃત્યુનો શોક કરવા માટે તેમના અંધ માતા-પિતા ગાંધારી અને ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા.દુર્યોધનનું શરીર લોહીથી લથબથ પડ્યું હતું.ત્યારે ગાંધારીએ શ્રી કૃષ્ણને દુર્યોધનના મૃત્યુના જવાબદાર ગણ્યા હતા.

ગાંધારીએ શ્રીકૃષ્ણને બૂમ પાડી કહ્યું, ‘હે દ્વારકાધીશ! મેં હંમેશા તમને વિષ્ણુ અવતાર તરીકે પૂજ્યા છે.પણ આજે તમે જે કર્યું તેનાથી હું શરમ અનુભવું છું.તમે તમારી દૈવી શક્તિઓથી આ યુદ્ધને રોકી શક્યા હોત.જઈને દેવકીને પૂછો કે જે માતા પોતાના પુત્રના મૃત્યુ પર આંસુ વહાવે છે,જેણે પોતાના સાત બાળકોને મરતા જોયા છે તેની શું પીડા છે.

ગાંધારીનો શ્રાપ

ગાંધારીએ અહીંથી અટકી ના હતી.તેણીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપતાં કહ્યું, ‘જો ભગવાન વિષ્ણુ પ્રત્યેની મારી ભક્તિ અને શ્રદ્ધા સાચી હશે તો આજથી બરાબર 36 વર્ષ પછી તમારો પણ પૃથ્વી પર અંત આવશે.દ્વારકા નગરી નાશ પામશે અને યદુવંશનું નામ ભૂંસાઈ જશે.આ કુળના લોકો એકબીજાના લોહીના તરસ્યા બની જશે.

એવું કહેવાય છે કે ગાંધારીના આ શ્રાપને કારણે પાછળથી યદુવંશનો વિનાશ થયો અને શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું.ઘણા વર્ષો વીતી ગયા પછી શ્રી કૃષ્ણનો પુત્ર સામ્બ ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કરીને ઋષિઓ પાસે ગયો.આ જોઈને ઋષિ ક્રોધિત થઈ ગયા અને તેમણે સામ્બને શ્રાપ આપ્યો કે તે એવા લોખંડી બાણને જન્મ આપશે જેનાથી તેના વંશનો અંત આવશે.સામ્બ ગભરાઈ ગયો અને ઘટના વિશે ઉગ્રસેનને જણાવ્યું.

સામ્બને આ શ્રાપથી બચાવવા માટે ઉગ્રસેને કહ્યું કે તે તીરનો પાવડર બનાવીને પ્રભાસ નદીમાં ફેંકી દે.આમ કરવાથી તે શ્રાપથી મુક્ત થઈ જશે. એવું કહેવાય છે કે જ્યાં આ પાઉડર નાખવામાં આવ્યો હતો તે કાંઠે એક ખાસ પ્રકારનું ઘાસ ઉગ્યું હતું.તે કોઈ સામાન્ય ઘાસ ન હતું,પરંતુ એક નશો કરનારી વનસ્પતિ હતી.આ પછી દ્વારકામાં કેટલાક અશુભ સંકેતો દેખાવા લાગ્યા. શ્રી કૃષ્ણનો શંખ,રથ,સુદર્શન ચક્ર અને બલરામનું હળ અદ્રશ્ય થઈ ગયું.

દ્વારકા કેવી રીતે પાપની નગરી બની?

દ્વારકા ગુનાની નગરીમાં ફેરવાવા લાગ્યું.પૃથ્વી પર પાપ વધવા લાગ્યું.આ બધું શ્રી કૃષ્ણને ન દેખાયું અને તેમણે દ્વારકાના લોકોને પ્રભાસ નદીના કિનારે તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું.પરંતુ દ્વારકાના લોકો ત્યાં જઈને તે નશાકારક ઘાસનું સેવન કરવા લાગ્યા.એકબીજાના લોહીના તરસ્યા બન્યા.ગાંધારીનો શ્રાપ સાચો પડ્યો.યદુવંશીઓ વચ્ચે લડાઈ થઈ.

આ ઘટનાના થોડા સમય પછી જ્યારે શ્રી કૃષ્ણ એક ઝાડ નીચે યોગ સમાધિ લઈ રહ્યા હતા ત્યારે જરા નામનો એક શિકારી હરણની શોધમાં ત્યાં આવ્યો.જરાએ શ્રી કૃષ્ણના પગને હરણ સમજીને તીર
છોડ્યું.તે તીર શ્રી કૃષ્ણને લાગ્યું.જરાને આ માટે ખૂબ જ દુ:ખ થયું અને તેણે શ્રી કૃષ્ણ પાસે ક્ષમા પણ માંગી.ત્યારે શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે જન્મે તેમનું મૃત્યુ નિશ્ચિત છે.

ભગવાને જ્યાં માયા સંકેલી તે તીર્થ એટલે ભાલકા તીર્થ

શ્રી કૃષ્ણ દ્વારા જીવન લીલા સમેટી તે ધાર્મિક સ્થળ એટલે ભાલકા તીર્થ ક્ષેત્ર,સોમનાથ નજીક આવેલું ભાલકા તીર્થ કે જ્યાં જગતગુરુ કૃષ્ણે પોતાની જીવન લીલા સમેટી લઈને અંતિમશ્વાસ લીધા હતા.પ્રાચીન ધાર્મિક માન્યાતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા.ભગવાન કૃષ્ણ દ્વારકાધિશ હતા ત્યાંથી તેઓ સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હતા.સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનું ઉલ્લેખ પુરાણોમાં આજે પણ જોવા મળે છે.

ભાલકા તીર્થમાં કૃષ્ણ પારધીના તીરનો બન્યા હતા શિકાર

સોમનાથ મંદિરથી દૂર વેરાવળ શહેરમાં આવેલુ ભાલકા તીર્થધામ ભાલકા તીર્થ ક્ષેત્ર તરીકે શા માટે ઓળખાયું? ભાલકાનો અર્થ ભાલુ અથવા તીર એમ કરવામાં આવે છે.રણછોડને જે સ્થળે પારધી દ્વારા ભાલુ મારવામાં આવ્યું ત્યારથી આ ભૂમિને ભાલકા તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં સમગ્ર દેશ અને દુનિયામાંથી દર્શનાર્થીઓ ક્રિષ્ણાના દર્શન માટે આવે છે.મહાભારત યુદ્ધમાં કૌરવોની હાર થયા બાદ ગાંધારીએ ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે યાદવો અંદરો અંદર લડી મરી પરવારશે.

કૃષ્ણને તીર ભોંકનાર જરા નામનો પારધીનો ઉલ્લેખ ત્રેતા યુગના રામા અવતારમાં જોવા મળે છે.ભગવાન શ્રીરામે વાલીને સુગ્રીવ સામેના યુદ્ધમાં છળથી માર્યા હતા જેને લઈને રામે વાલીને વચન આપ્યું હતું કે, કૃષ્ણા અવતારમાં તું પારધી બનીશ અને દ્વાપર યુગમાં તારૂં તીર મારા મૃત્યુ નું કારણ બનશે,ભગવાન શ્રીકૃષ્ણ જરા નામના પારધીના તીરનો ભોગ બન્યા બાદ સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની ઈચ્છા વ્યક્ત કરી જેને મોટા ભાઈ બલરામે પૂર્ણ કરતા કૃષ્ણને ત્રિવેણી ઘાટ લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં જીવન લીલા સંકેલી તે ગૌલોક ધામ આજે પણ આસ્થાનું કેન્દ્ર

જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ એ જગત પરની તેમની જીવન લીલા સમેટી લીધી હતી તે સ્થળ આજે ગોલોક ધામ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રીકૃષ્ણને જે જગ્યા પર રખાયા હતા તે જગ્યા પર ભગવાનની ચરણ પાદુકાનું પૂજન આજે પણ થઇ રહ્યું છે કૃષ્ણના ગોલોક ધામ ગયા બાદ ભાઈ બલરામ પણ નાગ સ્વરૂપે થોડે દૂર પાતાળલોક ગયા હોવાની વાયકા આજે પણ અસ્તિત્વ ધરાવી રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોદી પછી કોણ ? વડા પ્રધાન બનવા થનગનતા યોગી આદિત્યનાથને મોદી-શાહે કટ ટુ સાઇઝ કર્યા
Next Article યુટ્યૂબરને રસ્તા વચ્ચે દારૂ પીવાનું પડ્યું ભારે,બોબી કટારિયા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up