સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં બે પંજાબી સિંગર સામે કેસ દાખલ

114

– પંજાબ પોલીસ આજે સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં માનસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે

પંજાબ, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવાર : પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને નવી માહિતી સામે આવી રહી છે.સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર,સિદ્ધુના પિતાએ DGPને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 2 લોકો વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

પોલીસે આ કેસમાં વધુ 2 લોકોના નામ લીધા છે.આ બંને પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે તેમની પાસે સિદ્ધુ મૂસેવાલાના 50થી વધુ ગીતો છે.પોલીસ જણાવ્યા અનુસાર, પોલીસ આ બંને સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

જે દિવસે સિદ્ધુના પિતાએ 1 અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે તે જ દિવસથી માનસાના SSP તેમજ વરિષ્ઠ અધિકારીઓ સિદ્ધુના પિતાના સંપર્કમાં છે અને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ચાલાનમાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના 2 મોટા નામો પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.આ કેસમાં નવજોત સિંહ પંઢેર અને કંવર ગ્રેવાલનું નામ સામે આવ્યું છે.તો બીજી તરફ પંજાબ પોલીસ આજે સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં માનસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે.પોલીસ જણાવ્યા અનુસાર, સિદ્ધુ હત્યા કેસમાં લગભગ 26 વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, પંજાબના માનસા ખાતે 29 મેના રોજ પરસ્પર દુશ્મનાવટમાં કેટલાક લોકોએ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત થયું હતું.

Share Now