By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈશરત જહાં કેસમાં CBI તપાસનું નેતૃત્વ કરનારા IPS સતીશ વર્મા સસ્પેન્ડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ઈશરત જહાં કેસમાં CBI તપાસનું નેતૃત્વ કરનારા IPS સતીશ વર્મા સસ્પેન્ડ
AhmedabadGeneral

ઈશરત જહાં કેસમાં CBI તપાસનું નેતૃત્વ કરનારા IPS સતીશ વર્મા સસ્પેન્ડ

HM News
Last updated: 13/09/2022 8:07 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત, તા. 13 સપ્ટેમ્બર 2022, મંગળવાર : ગુજરાત પોલીસ કેડરના IPS સતીશ વર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI તપાસનું નેતૃત્વ કરનારા જાણીતા IPS અધિકારી સતીશ વર્માને નિવૃતિના માત્ર એક મહિના પહેલા જ સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તેઓ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના હતા.સરકારે 30 ઓગષ્ટના રોજ તેમને વિભાગીય કાર્યવાહી સબંધિત વિવિધ આધારો પર સેવામાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

સતીષ વર્માને સસ્પેન્ડ કરવાના કારણોમાં એક કારણ એ પણ અપાયું છે કે, તેમણે મીડિયા સમક્ષ કેટલીક બાબતો રજૂ કરીને દેશના આંતરરાષ્ટ્રીય સંબંધોને હાનિ પહોંચાડી છે.જોકે, આ મામલે સતીષ વર્મા કે, પછી ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.

IPS સતીશ વર્માને સસ્પેન્ડ કરવામાં આવતા IPS બેડા સહિત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.સસ્પેન્ડનો આદેશ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ મૂક્યો હતો જ્યાં વર્માએ તેમની સામેની અનેક શિસ્તભંગની કાર્યવાહીને પડકારી હતી.કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી સસ્પેન્ડના આદેશના અમલીકરણની માંગ કરતી અરજી દાખલ કરી હતી.લગભગ એક વર્ષ સુધી,વર્માને હાઈકોર્ટ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું હતું.જેણે સરકારને નિર્દેશ આપ્યો હતો કે તેની શિસ્તની કાર્યવાહી અવરોધાત્મક પગલાં નહીં લેશે.

ઈશરત જહા એન્કાઉન્ટર ફેક હતું તેવો રિપોર્ટ સતીષ વર્માએ આપ્યો હતો.તેમની આગેવાનીમાં ગુજરાત હાઈકોર્ટે SITની રચના કરી હતી.ત્યારબાદ તેમણે કોર્ટના ઓર્ડર પર CBI તપાસની પણ આગેવાની લીધી હતી.બીજી તરફ સતીષ વર્મા સામે વિવિધ વિભાગીય તપાસ ચાલી રહી હોવાનું કહી તેમને પ્રમોશનથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા.સતીષ વર્માએ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પીપી પાંડે,ડીજી વણઝારા,જીએલ સિંઘલ જેવા IPS તેમજ એનકે અમિન,તરુણ બારોટ જેવા પોલીસ અધિકારીઓની ધરપકડમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.પાછળથી આ કેસમાં એક પછી એક તમામ આરોપીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા હતા અને CBIને તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી પણ નહોતી મળી.

પંજાબ : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના 2 સાથીને પોલીસ કસ્ટડીમાં લીધા
કોર્પોરેટ જગતમાં મોટો ખેલ પડ્યો : લક્ષ્મી ઓર્ગનીકસે વેલ્સપનને જયારે ABG શિપયાર્ડને વેલ્સપને ટેકઓવર કરી
દિવાળીને લઇને સરકારે જાહેરનામું બહાર પાડ્યું, અહીં ફટાકડા ફોડ્યા તો…
પાકિસ્તાનને બર્બાદ કરી દેશે કોરોના વાયરસ
તાલિબાન મામલે મુનવ્વર રાણાનું વિવાદાસ્પદ નિવેદન, બોલ્યા- એનાથી વધારે ક્રૂરતા તો આપણા ત્યાં છે
Share This Article
Facebook Email Print
Previous Article J&K SI ભરતી કૌભાંડ મામલે ગાંધીનગર સહિત દેશમાં 33 સ્થળો પર CBIના દરોડા
Next Article વિદેશી ટી- શર્ટ પહેરીને ભારત જોડવા નીકળ્યા છે રાહુલ બાબા : અમિતભાઈ શાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up