ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઇને રાજ્ય સરકાર એક પછી એક મહત્વના નિર્ણય લઇ રહી છે.વનમંત્રી કિરીટસિંહ રાણાએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં આવશે.ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીની રહેશે.
વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિગતો આપતા કહ્યું હતું કે, વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-3ની કુલ 823 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.ઉમેદવારોનો સમય બચાવવા માટે ફી ભરવા e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઇને ફી ભરી શકશે.ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઇને જેમ બને તેમ ઝડપથી સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલી ભરતી પરીક્ષા પૂર્ણ કર્યા બાદ નવેસરથી ખાલી પડેલી જગ્યાઓ અંગે નવ ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.નોંધનીય ચેકે, વનરક્ષકની કુલ- 334 જગ્યાઓની પરીક્ષા લઇ સીધી ભરતી અંગે જાહેરાત આપવામાં આવી હતી અને ભરતી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.આ 334 જગ્યાઓ માટે 283 ઉમેદવારો સફળ રહ્યાં હતા અને 48 જેટલી જગ્યાઓ ખાલી રહી હતી.જેથી નવી 775 જગ્યા ઉપરાંત બાકી રહેલી 48 મળી કુલ 823 જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે.