By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યા પર સીધી ભરતી થશે, ટૂંક સમયમાં જાહેરાત આવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યા પર સીધી ભરતી થશે, ટૂંક સમયમાં જાહેરાત આવશે
GandhinagarGeneral

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યા પર સીધી ભરતી થશે, ટૂંક સમયમાં જાહેરાત આવશે

HM News
Last updated: 18/10/2022 8:18 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઇને રાજ્ય સરકાર એક પછી એક મહત્વના નિર્ણય લઇ રહી છે.વનમંત્રી કિરીટસિંહ રાણાએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં આવશે.ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીની રહેશે.

વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિગતો આપતા કહ્યું હતું કે, વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-3ની કુલ 823 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.ઉમેદવારોનો સમય બચાવવા માટે ફી ભરવા e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઇને ફી ભરી શકશે.ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઇને જેમ બને તેમ ઝડપથી સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલી ભરતી પરીક્ષા પૂર્ણ કર્યા બાદ નવેસરથી ખાલી પડેલી જગ્યાઓ અંગે નવ ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.નોંધનીય ચેકે, વનરક્ષકની કુલ- 334 જગ્યાઓની પરીક્ષા લઇ સીધી ભરતી અંગે જાહેરાત આપવામાં આવી હતી અને ભરતી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.આ 334 જગ્યાઓ માટે 283 ઉમેદવારો સફળ રહ્યાં હતા અને 48 જેટલી જગ્યાઓ ખાલી રહી હતી.જેથી નવી 775 જગ્યા ઉપરાંત બાકી રહેલી 48 મળી કુલ 823 જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે.

કેમેન આઈલેન્ડ્સ ખાતેથી ભારતમાં FDI ત્રણ ગણું વધીને $3.7 અબજ
દેશમાં કોરોનાના ૧૭,૩૪૦ કેસઃ ૫૫૯ના મોત
દેશનું એકમાત્ર શક્તિપીઠ જ્યાં રોજ થાય છે 1051 દીવાઓની આરતી! આ જગ્યાએ થાય છે શિવ અને શક્તિનું અદ્ભુત મિલન
રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદ્યા પછી ભારતે હવે ખાતર માટે સોદો કર્યો
વાવાઝોડા ‘નિસર્ગ’ની અસર શરૃઃ ગોવામાં તોફાની વરસાદ
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા : ભાજપ કોર્પોરેટરનો કાર્યક્રમ PIએ સ્ટેજ પર ચઢી બંધ કરાવ્યો, માંજલપુર PI વિજય દેસાઇની બદલી
Next Article આનંદો ! ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up