– જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત
– ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારી,રોજગાર,શિક્ષા,આરોગ્ય,ખેડૂત,કૃષિ,જમીનનો કાયદો,સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ સહિતના તમામ મુદ્દાઓને આવરી લીધા
કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે.જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે.તો સાથે જ આ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે.મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે.ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના,કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે.
કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારી,રોજગાર,શિક્ષા,આરોગ્ય,ખેડૂત,કૃષિ,જમીનનો કાયદો,સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ સહિતના તમામ મુદ્દાઓને આવરી લીધા છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઓ
-ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન પર પ્રતિબંધનો વાયદો
-વર્તમાન શિક્ષણ ફી સ્થગિત કરી તાત્કાલીક ફીમાં ૨૦ ટકાનો કરાશે ઘટાડો
-લમ્પીથી મૃત્યુ પામેલા ગૌમાતાના પાલકને વળતર-સહાય
-પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમનનો વાયદો
-વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લવાશે
-પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવાનો વાયદો
-વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તેવા પ્રયાસ હાથ ધરાશે
-ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં શરત વિના ગટર, પાણી, વિજળીની સુવિધા
-વસ્તી મુજબ શૌચાલયની વ્યવસ્થા
-શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોકનો વાયદો
-પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી
-કાયમી અનામત આયોગની રચનાનો વાયદો
-વિધવા, વૃદ્ધ, એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.૨૦૦૦નું ભથ્થું
-સિરામિક ઉદ્યોગ, કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
-બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર અને બારમાસી બંદરોનો વિકાસ
-મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે
-10 લાખ યુવાનોને રોજગારી આપવાનો વાયદો
-ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવુ માફ કરવાનો વાયદો
-500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો વાયદો
-300 યુનિટ મફત વીજળી આપવાનો વાયદો
-કેજીથી પીજી સુધી 20 હજાર રૂપિયાની શિષ્યવૃતિ
-સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવા માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
-ખેત પેદાશના પોષણક્ષણ ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિ
-કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ ૧ હજાર કરોડનું બજેટ
-માછીમારો માટે માછીમાર વિકાસ નિગમની પુન: રચના કરાશે
-શ્રમિકોને સમાનકામ અને સમાન વેતનનો લાભ મળશે
-પીએફ, ઈએસઆઈ અને બોનસનો લાભ અપાશે
-શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના નામનુ મળશે ઘરનું ઘર
-પંચાયતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણીને લઈને કોંગ્રેસે ગઈકાલે તેમની ત્રીજી યાદી પણ જાહેર કરી હતી.આ સાથે કોંગ્રેસ અત્યાર સુધીમાં 95 ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે. ત્રીજી યાદીમાં સાત ઉમેદવારો જાહેર કર્યા છે.