By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યમાં 20 વર્ષ બાદ નવા મુખ્યમંત્રની શપથવિધિ કમૂહુર્તા પહેલા યોજાઇ, જાણો કેવો છે ઇતિહાસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજ્યમાં 20 વર્ષ બાદ નવા મુખ્યમંત્રની શપથવિધિ કમૂહુર્તા પહેલા યોજાઇ, જાણો કેવો છે ઇતિહાસ
GeneralGujarat NowPolitics

રાજ્યમાં 20 વર્ષ બાદ નવા મુખ્યમંત્રની શપથવિધિ કમૂહુર્તા પહેલા યોજાઇ, જાણો કેવો છે ઇતિહાસ

HM News
Last updated: 12/12/2022 11:41 AM
HM News
3 years ago
Share
SHARE

– આજરોજ નવા મંત્રીમંડળે ગાંધીનગર ખાતે શપથ લીધા
– બે દાયકામાં પ્રથમ વખત કમુહુર્તા પહેલા શપથ લેવાઈ

આજરોજ ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી સરકારની શપથવિધિ સમારંભનું આયોજન કરાયું હતું.જેમાં ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી પદ માટે શપથ લીધા હતા.આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 156 બેઠકના ધારાસભ્ય હાજર રહ્યા ગતા.ત્યારે આ બે દાયકામાં પ્રથમ વખત ચૂંટણી ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાખવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, ચૂંટણીને લઈને થનારા મતદાનની તારીખ ચૂંટણીપંચ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં જાહેર કરે છે.જ્યારે આ બે દાયકામાં પાંચમી ચૂંટણીમાં પહેલીવાર એવું બન્યું હશે કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ એટલે કે કમુહુર્તા પહેલા શપથવિધિ સમારોહ યોજાયો. 20 વર્ષ બાદ ભાજપે પહેલી વખત કમુરતા શરૂ થયા પહેલા નવી સરકારની શપથવિધિ સમારોહ યોજ્યો છે.

મહત્વનું છે કે, આ પહેલા ગત ટર્મ 2017માં તા. 9 અને 14ના મતદાન યોજાયું હતું અને તા. 26 ડિસેમ્બરે વિજય રૂપાણીએ શપથ લીધા હતા.જ્યારે તેની પહેલા વર્ષ 2012માં તેથી પણ મોડું તા. 13 અને 17 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું.જો કે,વર્ષ 2007ની વાત કરીએ તો,2007માં ચૂંટણી પંચ દ્વારા પહેલા અને બીજા તબક્કાના મતદાન માટે તા. 11 અને 16 ડિસેમ્બર જાહેર કરી હતી. અને 2002માં પણ તા. 12 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું.જેને જોતા કહી શકાય કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ હાર્ડ એન્ડ ફાસ્ટ કામગીરી કરી છે.બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા શપથવિધિ સમારોહમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા,મહાનગરના હોદ્દેદારો,જનસંઘ સમયના અગ્રણીઓ,સાંસદો,મનપા,જિ.પં.માં ચૂંટાયેલા સભ્યો,ભાજપના મોરચાના હોદ્દેદારો ગાંધીનગરમાં સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા.જ્યાં તમામ મંત્રીમંડળના સભ્યો દ્વારા શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,કમુહુર્તા અર્થાત્ ધનુર્માસનો આરંભ તા. 16 ડિસેમ્બરે થાય છે અને મકરસંક્રાંતિ તા. 14 સુધી ચાલે છે.આ વખતે પંચે મતદાનની તારીખ 1 અને 5 ડિસેમ્બરે રાખી હતી અને તા. 8 ડિસેમ્બરે મતગણતરી પણ થઈ ગઈ છે. ધનુર્માસ કે કમુહુર્તા એટલે અશુભ સમય નથી.દિવ્ય પરંપરા અને તર્ક એવો છે કે, આ માસમાં કોઈ આનંદના સમારોહ,લગ્ન પ્રસંગ, ગૃહપ્રવેશ, નવી મોટી ખરીદી વગેરે નહીં કરવા પાછળનો હેતુ એ છે કે આ માસમાં જપ,તપ આદિ પૂણ્યકર્મ કરવા માટે પૂરતો સમય મળી રહે.

ભારતમાં કોરોના બન્યો ગાંડોતૂર: ૨૪ કલાકમાં ૬૫૩૫ નવા કેસ, ૧૪૬ના મોત
આવા કેટલાય બુદ્ધિના લઠ્ઠ આખા દેશમાં ક્લેકટર થઈ બેઠા છે : મેવાણી
લો બોલો ધારાસભ્યનું જ કંઈ ઉપજતું નથી !! ભાજપના MLA હર્ષ સંઘવીએ CPને કરવી પડી રજુઆત : અગાઉ પણ પોલીસ સાથે ઘર્ષણ થઇ ચૂક્યું છે …
આજથી સ્કૂલોમાં નવુ શૈક્ષણિક વર્ષ શરૃ ઃ હજુ શૈક્ષણિક કેલેન્ડર તૈયાર નથી
હોંગકોંગ પર પોતાની પકડ મજબૂત કરવા ચીન કોરોનાનો ઉપયોગ કરી રહ્યુ છે, જાણો કેવી રીતે
Share This Article
Facebook Email Print
Previous Article એડવાન્સ ટેક્સ ભરવામાં માત્ર 3 દિવસ બાકી, ચૂકશો તો થશે દંડ
Next Article HM EXCLUSIVE : ગુજરાત સરકારના મંત્રીમંડળમાં જાણો આ વખતે હર્ષ સંઘવી સહિત કોને મળશે કયું ખાતું !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up