– રોયલ થાઈ નેવીનું જહાજ ડૂબ્યું દરિયામાં
– રાહત અને બચાવ કાર્ય માટે જહાજો અને હેલિકોપ્ટર તૈનાત
– 100 થી વધુ લોકો જહાજમાં હતા સવાર
નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર 2022, સોમવાર : રવિવારે થાઈલેન્ડ નેવીનું એક જહાજ દરિયામાં ડૂબી ગયું હતું.જહાજમાં 100 થી વધુ લોકો સવાર હતા. 75 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જ્યારે 31 હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે.મળતી માહિતી અનુસાર, રોયલ થાઈ નેવીનું એચટીએમએસ સુખોથાઈ કોર્વેટ રવિવારે સાંજે થાઈલેન્ડની ખાડીમાં તેજ પવન અને દરિયાઈ મોજાને કારણે ડૂબી ગયું હતું.રાહત અને બચાવ માટે જહાજો અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.માહિતી મળતાં જ રોયલ નેવીએ ત્રણ જહાજો અને મોબાઇલ પમ્પિંગ મશીનો સાથે બે હેલિકોપ્ટર જહાજના પાણીને દૂર કરવા માટે મોકલ્યા હતા.પરંતુ, તેજ પવનને કારણે તે નિષ્ફળ ગયા હતા.જહાજની વિદ્યુત વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે,તે ઝડપથી પાણીથી ભરાવા લાગ્યું.જેના કારણે તે ડૂબી ગયું હતું.આ અકસ્માત પ્રાચુઆપ ખેરી ખાન પ્રાંતમાં બંગસાફાન જિલ્લામાં જેટીથી 32 કિમી દૂર દરિયામાં યુદ્ધ જહાજ પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે થયો હતો.દક્ષિણ થાઈલેન્ડ તાજેતરના દિવસોમાં તોફાન અને પૂરનો અનુભવ કરી રહ્યું છે. તેને જોતા જહાજોને કિનારે રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.નૌકાદળે જણાવ્યું હતું કે, સોમવારે સવાર સુધીમાં 75 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ, 31 હજુ પણ પાણીમાં હતા.