By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અંતે ઘી ખીચડીમાં : ભાજપના અપક્ષ ચૂંટાયેલા 3 બળવાખોર ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો,
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > અંતે ઘી ખીચડીમાં : ભાજપના અપક્ષ ચૂંટાયેલા 3 બળવાખોર ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો,
GandhinagarGeneralPolitics

અંતે ઘી ખીચડીમાં : ભાજપના અપક્ષ ચૂંટાયેલા 3 બળવાખોર ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો,

HM News
Last updated: 20/12/2022 8:49 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભાજપને 156 સીટ પર વિજય થયો છે.જ્યારે 17 સીટ કોગ્રેસ,5 આમ આદમી પાર્ટી અને 3 અપક્ષ ઉમેદવાર જીત થઇ છે.વિધાનસભામાં ભાજપની બહુમતી છે.તેમ છતાં આજે અપક્ષમાં ચૂંટાયેલા ધારાસભ્ય ભાજપને ટેકો જાહેર કરશે.આજે ધાનેરા,બાયડ અને વાધોડીયાના ધારાસભ્ય રાજ્યપાલને મળીને ભાજપને વિધિવત રીતે ટેકો જાહેર કરશે.
આ ત્રણેય ઉમેદવારો આમ તો ભાજપમાં જ હતા તેમ છતાં 2022માં ભાજપે ટીકીટ ન આપતાં અપક્ષ ચુંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા.હવે ચુંટણી જીત્યા બાદ ફરી ત્રણેય ધારાસભ્ય ભાજપ સાથે જોડાઇ રહ્યા છે.

ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા

બાયડ સીટ પરથી ધવલસિંહ ઝાલા અપક્ષ વિજેતા બન્યા હતા.તેમણે બાયડ સીટ પર ટીકીટની માગણી કરી હતી.પરંતુ ભાજપે ભીખીબેન પરમારને ટીકીટ આપી હતી.જેથી નારાજ ધવલસિંહ ઝાલાએ અપક્ષમાં ફોર્મ ભર્યુ હતુ.જો કે, કોગ્રેસના મહેન્દ્રસિંહ વાધેલા અને ભાજપના ભીખીબેન પરમાર પ્રત્યે મતદારોની નારાજગીને લઇને ધવલસિંહને સીધો ફાયદો થયો અને વિજેતા બન્યા હતા.આ અંગે ધવસિંહ ઝાલાનું કહેવું છે કે, ધારાસભ્ય બાદ મતવિસ્તારમાં વિકાસના કામ કરવા હોય તો સત્તા પક્ષ સાથે રહેવું જરુરી છે.આથી અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ભાજપને સરકારને ટેકો જાહેર કરવો જરુરી થઇ પડ્યો છે.

ધાનેરા સીટ પરથી માવજી દેસાઇ અપક્ષ ચુંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા.માવજી દેસાઇ પણ વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા હતા. 2022માં માવજી દેસાઇએ ટીકીટની માગણી કરી હતી.પરંતુ ભાજપે ટીકીટ ન આપતાં અપક્ષ ચુંટણી લડ્યા હતા.હવે આજે તેઓ પણ વિધિવત રીતે ભાજપને ટેકો જાહેર કરી રહ્યા છે.આવી જ રીતે વાધોડિયા સીટના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાધેલા પણ ભાજપને ટેકો જાહેર કરશે.વાધોડિયા સીટ પર મધુ શ્રીવાસ્તવને હરાવીને ધર્મેન્દ્રસિંહ વાધેલા વિજેતા બન્યા હતા.ધર્મેન્દ્રસિંહ પણ ભાજપ સાથે જોડાયેલા હતા પરંતુ ભાજપે ટીકીટ ન આપતા અપક્ષ ચુંટણી લડ્યા હતા.

વિધાનસભામાં ભાજપને 159 ધારાસભ્યનું બળ

વિધાનસભામાં ભાજપને 156 ધારાસભ્યનું બળ છે.હવે 3 અપક્ષ ચુંટાયેલા ધારાસભ્ય ભાજપને ટેકો જાહેર કર્યો છે.આથી વિધાનસભામાં ભાજપને 159 ધારાસભ્યનું બળ થશે.જો કે, વિપક્ષમાં કોગ્રેસના 17 ધારાસભ્ય રહેશે અને આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય હશે.આમ જોઇએ તો અગામી રાજ્યસભા ચુંટણીમાં ભાજપને સીધો ફાયદો થશે.

PAYTM પીએમ કેર ફંડમાં 100 કરોડ રૂપિયાનું અનુદાન આપશે
GST કામગીરી પૂર્ણ કરવા અધિકારીએ માંગ્યા રૂ. 50 હજાર, ACBની ટ્રેપમાં વચેટિયા ઝડપાયા
RJDના પૂર્વ સાંસદ અને બાહુબલી શહાબુદ્દીનની હાલત ગંભીર, કોરોના સંક્રમણ બાદ હોસ્પિટલમાં દાખલ
ભુપેન્દ્ર પટેલ ભલે મુખ્યમંત્રી બનતા પણ એમને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે : પાસ નેતા અલ્પેશ કથીરિયા
Convert Btc
Share This Article
Facebook Email Print
Previous Article લો બોલો ! હવે આ મંદિરમાં મહાદેવ પર જળાભિષેક કરવા ચાર્જ નક્કી કરાતા વિવાદ સર્જાયો
Next Article વિધાનસભા સત્રમાં કોંગ્રેસનું વોક આઉટ, રાજ્યપાલના પ્રવચન મુદ્દે ચર્ચા કરવાની તક ન મળતાં હોબાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up