– સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો
અમદાવાદ, 30 ડિસેમ્બર 2022, શુક્રવાર : પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબા પંચમહાભુતમાં વિલીન. PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી.સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો.હિરાબા મોદી પરીવાર સાથે અનેક યાદો છોડીને સ્વર્ગવાસ થયા.આ પહેલા PM મોદી શબ વાહિનીમાં માતાના પાર્થિવ દેહ સાથે હતા.હિરાબાની સ્મશાન યાત્રામાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હતા.હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજ મોદીના ઘરેથી શરૂ થઈ હતી.આ દરમિયાન ભાવુક પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. PM મોદીના માતા હીરા બાએ આજે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
હીરા બાના પરિવારે લાગણીસભર અપીલ કરી હતી
હીરા બાના પરિવારે સૌને ભાવભરી અપીલ કરી હતી.તેમના પરિવાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરવા બદલ અમે દરેકનો વ્યક્તિનો આભાર માનીએ છીએ.અમારી સૌને નમ્ર વિનંતી છે કે દિવંગત આત્માને તમારા વિચારોમાં રાખો અને તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને ચાલુ રાખો તે જ હિરા બાને સાચી શ્રદ્ધાંજલિ હશે.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
PM મોદીએ કરી ટ્વિટ હતી
પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી હતી.પીએમ મોદીએ લખ્યું હતું કે જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી,જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.આ ઉપરાંત વધુમાં તેમણે લખ્યુ હતું કે શાનદાર શતાબ્દીનો ઈશ્વરની ચરણોમાં વિરામ,માં મેં હમેશા એ ત્રણ ત્રિમૂર્તિની અનુભુતિ કરી છે,જેમાં એક તપસ્વીની યાત્રા,નિઃસ્વાર્થ કર્મયોગી અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનના પ્રતીકનો સમાવેશ રહ્યો છે.


