ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે છે ત્યારે ગઈ કાલે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેને જોતાં એવું લાગે છે કે માત્ર જે લોકોએ ફરિયાદ કરી છે તેટલા જ કેસો થયા છે બાકી સૌથી વધુ ભ્રષ્ટાચાર જે મોટાપાયે થઈ રહ્યો છે કે જે વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓના વચેટિયાઓ દ્વારા જે રીતે લૂંટ ચલાવવામાં આવે છે તે ક્યારે સામે આવતું નથી.
ગઈકાલે ભ્રષ્ટાચારના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમ સૌથી વધુ વર્ગ 3 ના કર્મચારીઓ છે જે ગૃહવિભાગના સૌથી વધુ છે.લોક વાયકા પ્રમાણે સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો એ મહેસૂલ વિભાગમાં થાય છે જ્યારે બીજા નંબર પર માર્ગ અને મકાન વિભાગમાં.પરંતુ માર્ગ અને મકાન વિભાગમાં તો કરંટ રિપર્સની ગ્રાન્ટમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય છે જેમાં વર્ગ 4 થી લઈને વર્ગ 1 સુધીના તમામની મિલીભગત હોય છે.
જાહેર કરેલ આંકડાની વાત કરવામાં આવે તો ગૃહ વિભાગ અને પંચાયત ગ્રામ વિકાસ એ મોખરે છે.પંચાયત અને ગ્રામ વિકાસના ટોટલ 46 જેટલા કેસ બન્યા છે જ્યારે વાસ્તવિકતા તેની કઈક અલગ જ છે જે સૌ કોઈ જાણે જ છે.મહેસૂલ વિભાગની વાત કરીએ તો ટોટલ 13 કેસ થયેલા છે.સચિવાલયમાં કામ કરતાં કેટલાક વર્ગ 3 ના કર્મચારીઓમાં થતી વાતો સાચી માનીએ તો ગુજરાતમાંથી દર મહિને કરોડો રૂપિયા ગુજરાત બહાર જાય છે પણ કોઈ નક્કર પુરાવાના અભાવે અને બહાર મોકલવા વાળાના ચોક્કસ આયોજન ના લીધે કોઈને એની ગંધ પણ આવતી નથી અને અંદરખાને બધા વહીવટો થતાં હોવાની વાત આ કર્મચારીઓની અંદર થતી હતી.આ વાત નું તથ્ય કેટલું છે તે તો સમય બતાવશે.
ઉલ્લેખનીય છે કે જે રીતે એ.સી.બી. દ્વારા ગઈકાલે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તે મુજબ વર્ષ દરમિયાન કુલ 176 કેસ નોંધાયા છે.જેમાં સૌથી ભ્રષ્ટ લોકો ગૃહ વિભાગના ઝડપાયા છે.સૌથી વધુ કેસ વર્ગ 3 ના કર્મચારીઓ વિરુદ્ધ 114 જ્યારે વર્ગ 1 ના અધિકારીઓ સામે માત્ર 9 કેસ નોંધાયા છે.


