By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: HM Exclusive : સુરતના 800 કરોડના નોટબંધી કૌભાંડમાં ભજિયાવાલા પિતા-પુત્રની મુશ્કેલી વધશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > HM Exclusive : સુરતના 800 કરોડના નોટબંધી કૌભાંડમાં ભજિયાવાલા પિતા-પુત્રની મુશ્કેલી વધશે
GeneralSurat

HM Exclusive : સુરતના 800 કરોડના નોટબંધી કૌભાંડમાં ભજિયાવાલા પિતા-પુત્રની મુશ્કેલી વધશે

HM News
Last updated: 01/02/2023 10:40 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત, 1 ફેબ્રુઆરી 2023 બુધવાર : (એડિટર – જિગર વ્યાસ ) : નોટબંધી વખતે કરોડોની હેરફેર કરનારા ભજિયાવાલા પિતા-પુત્રનો કેસ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે.જેમાં બેન્ક અધિકારીઓની સાઠગાંઠથી કરોડોની કિંમતની જુની નોટો બદલી હતી.ખાતેદારોના જ પાન-આધાર કાર્ડ મેળવી કાંડ કરતા મની લોન્ડરીંગનો કેસ કરવામાં આવ્યો છે.પીએમએલએ કેસ માટે ખાસ પ્રકારે વિશેષ ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કરાયેલી છે.

ખાતેદારોના પાન કાર્ડ-આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોથી કૌભાંડ આચર્યું

નોટબંધી દરમ્યાન જુદી જુદી બેંકોમાંથી બેંકના જ અધિકારીઓ-કર્મચારીઓ સાથે મળીને ખાતેદારોના પાન કાર્ડ-આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી તેના આધારે કરોડો રૂપિયાની નાણાં બદલી કાઢવાના કેસમાં સીબીઆઇએ સુરતના ભજિયાવાલા પિતા-પુત્ર વિરૂધ્ધ દાખલ કરેલો કેસ ડેઝિગ્નેટેડ પીએમએલએ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે હુકમ કર્યો હતો.

પિતા-પુત્ર કિશોર અને જીગ્નેશ ભજીયાવાલા વિરુધ્ધ કેસ

એન્ફેર્સમેન્ટ ડિરેકટોરેટ(ઇડી)ના આસીસ્ટન્ટ ડાયરેકટર ધર્મેન્દ્ર મીના તરફ્થી કરાયેલી અરજીમાં ઇડીના સ્પેશ્યલ કાઉન્સેલ સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, નોટબંધી દરમ્યાન મોટાપાયે ચલણી નોટો બદલવાના ચકચારભર્યા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા સુરતના ભજિયાવાલા પિતા-પુત્ર કિશોર ભજિયાવાલા અને જીગ્નેશ ભજીયાવાલા વિરુધ્ધ કેસ દાખલ કર્યો હતો.જે આ કોર્ટમાં પડતર છે.પરંતુ આરોપીઓએ આચરેલો મની લોન્ડરીંગ એકટ હેઠળનો શિડ્યુલ ઓફેન્સ છે અને કાયદાકીય જોગવાઇ ખાસ કરીને કલમ-44(1) (સી) મુજબ, આ કેસ પીએમએલએની ડેઝિગ્નેટેડ કોર્ટમાં ચાલી શકે છે.

CBI સ્પેશિયલ કોર્ટે આ કેસના સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કર્યા

પીએમએલએ કેસ માટે ખાસ પ્રકારે વિશેષ ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કરાયેલી છે અને શીડયુલ ઓફેન્સનો ટ્રાયલ આ કોર્ટમાં જ ચલાવી શકાય તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઇ છે ત્યારે સીબીઆઇ કેસને પીએમએલએની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવો જોઇએ.ઇડી તરફ્થી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે આ કેસ અમદાવાદ રૂરલ કોર્ટમાં સ્થિત ડેઝિગ્નેટેડ પીએમએલએ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવા હુકમ કર્યો હતો.સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે આ કેસના સંબંધિત તમામ દસ્તાવેજો પણ પીએમએલએ ડેઝિગ્નેટેડ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવા પણ ક્રિમીનલ બ્રાંચના સુપ્રિટેન્ડન્ટને હુકમ કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે કિશોર ભજીયાવાલા સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંક,બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેંકમાં ખોલવામાં આવેલા 60 બેંક ખાતાઓનું સંચાલન કરતા હતા.આમાંના મોટાભાગના ખાતાઓ તેમના દ્વારા ચલાવવામાં આવતા હતા જ્યારે કેટલાક તેમના બે પુત્રો – વિલાશ અને જિજ્ઞેશ દ્વારા સંચાલિત હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે તે ડમી એકાઉન્ટ્સ પણ ચલાવતો હતો જે આઈટી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો.આ ખુલાસાઓ બાદ સીબીઆઈએ તેમની સામે કથિત બનાવટી અને છેતરપિંડી માટે એફઆઈઆર પણ દાખલ કરી હતી.સુરતમાં ED અધિકારીઓ દ્વારા પૂછપરછ બાદ જીગ્નેશની ધરપકડ કરવામાં આવી હતી.

ભજિયાવાલા સામે 300 પાનાંની ચાર્જશીટ 300 લોકોને બેન્કની લાઈનમાં લગાવ્યા હતા

નોટબંધી બાદ જૂની ચલણી નોટોને નવી ચલણી નોટોમાં ફેરબદલ કરનારા સુરતના જિજ્ઞેશ ભજિયાવાલા સામેની ઈડીએ પોતાની તપાસ પૂર્ણ કરી સ્પે.પીએમએલએ કોર્ટમાં 300 પાનાની ફરિયાદ (ચાર્જશીટ) રજૂ કરી હતી. જેમાં નોટબંધી દરમિયાન જિજ્ઞેશ ભજિયાવાલાએ 300 વ્યક્તિઓ મારફતે જૂની ચલણી નોટોને નવી ચલણી નોટોમાં ફેરબદલ કરવા માટે બેન્કોની લાબી કતારમાં ઉભા રાખ્યા હતા.તેને સમર્થન આપતાં સંખ્યાબંધ નિવેદનો ઈડીએ નોધ્યા છે.આ ઉપરાંત સુરતમાં સ્થાવર મિલકતો ધરાવનારા જિજ્ઞેશ ભજિયાવાલાએ પોતાની મિલક્તો પૈકીના બેન્ક પ્રીમાઈસીસમાં ફરજ બજાવતાં બેન્કના અધિકારીઓને ધાકધમકી આપીને ચલણી નોટોની ફેરબદલ કરાવી હોવાના બેન્ક કર્મચારીઆે અને અધિકારીઓના નિવેદનો ઈડીએ જે તે સમયે નિવેદનો નોંધ્યા હતા.

નોટબંધી બાદ દેશભરમાં જૂની ચલણી નોટોને નવી નોટોમાં બદલી કરવાની દોડ ચાલી હતી.જે દરમિયાન સુરતમાં કરોડો રૂપિયાનું ડિસ્કલોઝર કરીનારા કિશોર ભજિયાવાલા સામે તપાસનો દોર શરૂ થયો હતો.જેમાં સુરતના કિશોર ભજિયાવાલાના પુત્ર જિજ્ઞેશ અને વિલાસે માતબર રકમની જૂની ચલણી નોટોને નવી ચલણી નોટોમાં બદલી કરાવી કૌભાંડ આચર્યું હતું.જેના આધારે ભજિયાવાલા સામે પહેલા સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી.સીબીઆઈએ જિજ્ઞેશ ભજિયાવાલા સામે ફરિયાદ નોંધી સતત ચાર દિવસ સુધી પૂછપરછ કરી હતી.સીબીઆઈ તપાસને સમાતંર સુરત એન્ફોર્સમેન્ટ વિભાગ (ઈડી)એ પણ જિજ્ઞેશ ભજિયાવાલા સામે તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન ડિસેમ્બર 2016ના છેલ્લા સપ્તાહમાં ઈડીએ ધરપકડ કરી અમદાવાદની સ્પે.પીએમએલએ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.

આશરે 25 વર્ષ પહેલા કિશોર ભજીયાવાલાએ સુરતમાં ચા વેચવાનું શરૂ કર્યું હતું

નોટબંધી વખતે પોતાના બેંક ખાતામાં એક કરોડથી વધુ રકમ જમા કરાવવા બદલ ઈન્કમટેક્સના સ્કેનર હેઠળ આવેલા કિશોર ભજીયાવાલા પાસેથી પાસેથી લગભગ 6.5 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા,જેમાં 1.4 કરોડ રૂપિયા 2000ની નોટમાં હતા.

ભજિયાવાલાના પરિવાર અને સહયોગીઓના નામે કુલ
40 બેંક ખાતા અને એક ડઝનથી વધુ લોકર મળી આવ્યા હતા.
આ લોકર્સમાંથી 50 કિલો ચાંદી, કેટલાંક કિલો સોનું અને 1.39 કરોડ રૂપિયાના હીરા પણ મળી આવ્યા હતા.જપ્ત કરાયેલા દસ્તાવેજો પરથી લાગેલા અંદાજ મુજબ ભજિયાવાલાની અત્યાર સુધીની કુલ સંપત્તિ 800 કરોડની આંકવામાં આવી હતી.
રેડ દરમ્યાન કિશોર ભજીયાવાલાની કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સહિત ભાજપના અનેક નેતાઓ સાથેની તસવીરો વાયરલ પણ વાઇરલ થઈ હતી જેને લઈને પણ વિવાદ છેડાયો હતો.અગાઉ 25 વર્ષ પહેલા ચા વેચવાથી કારકિર્દી શરુ કરનારા કિશોર ભજિયાવાલા શહેરના નામચીન ફાઇનાન્સર બની ગયા હતા અને નોટબંધી વખતે ખેલ પાડવા જતા અજેન્સીઓના રડારમાં આવતા ભરાઈ પડ્યા હતા.મની લોન્ડરિંગ સહિતના કેસમાં હવે પીએમએલએ કોર્ટમાં સુનવાઈ શરુ થવા જઇ રહી છે જેને લઇ પિતા-પુત્રની મુશ્કેલીમાં આવનારા દિવસોમાં વધારો થઇ શકે એવી શક્યતા છે.

ભજિયાવાલાની ધરપકડ શુક્રવાર (20 જાન્યુઆરી) 2017ના રોજ થઈ હતી.ભજિયાવાલા પર નોટબંધી બાદ કાળા નાણાંને સફેદમાં ફેરવવાનો આરોપ છે.ભજિયાવાલા સામે અગાઉ પણ કેસ નોંધાયેલો હતો.હકીકતમાં નોટબંધી પછી આવકવેરા વિભાગે દેશભરમાં દરોડા પાડ્યા હતા.આ સ્થિતિમાં સુરતના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલા પાસેથી 10.45 કરોડની વસૂલાત કરવામાં આવી હતી.આરોપ છે કે ભજિયાવાલાએ નકલી બેંક ખાતાઓ દ્વારા કાળા નાણાંને લૉન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભજીયાવાલા એક સમયે ચા વેચતા હતા.

ભજિયાવાલા પાસેથી 400 કરોડની પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા : 700 લોકોને પૈસા જમા કરાવવા અને ઉપાડવાના કામમાં રોક્યા હતા.

અહેવાલો અનુસાર, કિશોર ભજીયાવાલાના 27 બેંક ખાતા હતા,જેમાંથી 20 બેનામી હતા.આના દ્વારા તે મની લોન્ડરિંગ કરતો હતો.જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે કેટલા પૈસા જમા કરાવ્યા અને કેટલા ઉપાડ્યા.આવકવેરા વિભાગે 1,45,50,800 રૂપિયાની નવી નોટો,રૂપિયા 1,48,88,133 રૂપિયાનું સોનું,રૂપિયા 4,92,96,314 રૂપિયાના સોનાના દાગીના,રૂપિયા 1,39,34,580 રૂપિયાના હીરાના ઘરેણાં અને રૂપિયા 77,81,800 રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.તેની પાસેથી ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.બેંકો અને મોટા રાજકારણીઓની સંડોવણીની શંકાને જોતા આ કેસ જે તે સમયે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

જિજ્ઞેશ ભજિયાવાલાને 7 વર્ષની કેદ થઈ શકે છે

નોટબંધી બાદ જૂની ચલણી નોટોને નવી ચલણી નોટોમાં ફેરબદલ કરવા બદલ ઈડીએ 300 પાનાની ફરિયાદ (ચાર્જશીટ) સ્પે. કોર્ટમાં પ્રિવેન્સન્સ ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ)ની કલમ 3 અને 4 હેઠળ આરોપ મૂક્યો હતો.જિજ્ઞેશની સામે કરાયેલા આરોપો પુરવાર થાય તો સાત વર્ષ કેદની સજા થાય તેમ છે.

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ
CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશના મધ્યમવર્ગને આ બજેટથી શું ફાયદો થયો? જાણો કઈ જોગવાઈઓ કરાઈ
Next Article પૂર્વ DGP આશિષ ભાટિયાને અપાઈ શાનદાર વિદાય, ફૂલોથી શણગારેલી કારમાં બેસાડી IPS ઓફિસરોએ દોરડા વડે કાર ખેંચી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

3 weeks ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

3 weeks ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

3 weeks ago

ઇઝરાયલ વેસ્ટ બેન્ક પર કબજો નહીં કરી શકે : ડોનાલ્ડ ટ્રમ્પ મુસ્લિમ દેશોના દબાણમાં !

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up