By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તબ્લીગી કાંડ : ગુજરાતમાંથી જમાતમાં ગયેલા 68 લોકો ગુમ, સેન્ટ્રલ એજન્સીઓ દોડતી થઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > તબ્લીગી કાંડ : ગુજરાતમાંથી જમાતમાં ગયેલા 68 લોકો ગુમ, સેન્ટ્રલ એજન્સીઓ દોડતી થઈ
AhmedabadGeneralGujarat Now

તબ્લીગી કાંડ : ગુજરાતમાંથી જમાતમાં ગયેલા 68 લોકો ગુમ, સેન્ટ્રલ એજન્સીઓ દોડતી થઈ

HM News
Last updated: 03/04/2020 9:16 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોના કહેરના ફફડાટ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે.દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયેલા ગુજરાતના 68 જમાતીઓ હાલ ગુમ થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમને શોધવા માટે સેન્ટ્રલ એજન્સીની મદદ લેવાઈ છે.અત્યાર સુધી રાજ્યમાં 82 લોકોની ઓળખ કરી તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.જ્યારે અન્ય લોકોની હજી તપાસ ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.ગુમ 68 લોકોને શોધવા માટે કેન્દ્રની સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવાઈ રહી છે.

રાજ્ય સરકારે કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે.એક્શન રિપોર્ટમાં તબલીગી જમાતમાંથી આવેલા 68 લોકો હજુ ગુમ થયાના ઘટસ્ફોટ થયો છે.તબલીગી જમાતથી આવેલા 83 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે.પરંતુ જે લોકો ગુમ થયા છે તેમની ભાળ મેળવવા માટે RAWની મદદ લેવાઈ રહી છે.

બીજી બાજુ કોરોના વાયરસ મામલે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી શરૂ થઈ છે.જેમાં સરકારે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો.જેમાં ઘટસ્ફોટ થયો છે કે 68 લોકોની શોધખોળ થઈ શકી નથી. પોલીસ હજુ શોધખોળ કરી રહી છે.જેમાં 83 લોકોને આઇડેન્ટિફાય કરીને કવોરંટાઇન કરાયા છે.આ તમામ તબલિગી જમાતમાં ભાગ લીધેલા અથવા નિઝામુદ્દીન જઇ આવેલા લોકો છે.આવા લોકોની ભાળ મેળવવા માટે RAWની મદદ પણ લેવાઈ રહી છે. આવી અનેક રજૂઆત એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટેમાં કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવના આજે વધુ 7 કેસ નોઁધાયા છે,આ તમામ કેસ કોરોનાનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.જ્યારે અત્યાર સુધીમાં 8ના મોત થઈ ગયા છે.અમદાવાદમાં કોરોનાના કુલ 7 નવા કેસમાં એક દિલ્હીના નિઝામુદ્દીન તબલિગી જમાતના મરકજમાં હાજરી આપનાર શખ્સનો પણ સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રઃ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર માટે મંજૂરી જરૂરી
પાલનપુરમાં 2.3ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ
પરમબીર સિંહની વધી મુશ્કેલી, વસૂલી કેસમાં ચોથી FIR દાખલ, સચિન વાજે પણ આરોપીઓમાં સામેલ
CR પાટીલે કોને આપી આવી ચેતવણી ? જાણો વિગતે
UPથી મજૂરો લઈને હરિયાણા આવી રહેલી ઈકો વાન ટ્રક સાથે અથડાઈ, 2ના મોત, 7 ઘાયલ
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના જે આંકડા આવ્યા તેમાં ૬૦% તબલગી કનેકશન
Next Article અમેરિકી યહૂદી પત્રકાર ડેનિયલ પર્લ હત્યા કેસના આરોપીને મૃત્યુદંડની સજાને બદલે માત્ર સાત વર્ષની કેદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up