ગુજરાતમાં કોરોના કહેરના ફફડાટ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે.દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયેલા ગુજરાતના 68 જમાતીઓ હાલ ગુમ થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમને શોધવા માટે સેન્ટ્રલ એજન્સીની મદદ લેવાઈ છે.અત્યાર સુધી રાજ્યમાં 82 લોકોની ઓળખ કરી તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.જ્યારે અન્ય લોકોની હજી તપાસ ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.ગુમ 68 લોકોને શોધવા માટે કેન્દ્રની સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવાઈ રહી છે.
રાજ્ય સરકારે કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે.એક્શન રિપોર્ટમાં તબલીગી જમાતમાંથી આવેલા 68 લોકો હજુ ગુમ થયાના ઘટસ્ફોટ થયો છે.તબલીગી જમાતથી આવેલા 83 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે.પરંતુ જે લોકો ગુમ થયા છે તેમની ભાળ મેળવવા માટે RAWની મદદ લેવાઈ રહી છે.
બીજી બાજુ કોરોના વાયરસ મામલે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી શરૂ થઈ છે.જેમાં સરકારે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો.જેમાં ઘટસ્ફોટ થયો છે કે 68 લોકોની શોધખોળ થઈ શકી નથી. પોલીસ હજુ શોધખોળ કરી રહી છે.જેમાં 83 લોકોને આઇડેન્ટિફાય કરીને કવોરંટાઇન કરાયા છે.આ તમામ તબલિગી જમાતમાં ભાગ લીધેલા અથવા નિઝામુદ્દીન જઇ આવેલા લોકો છે.આવા લોકોની ભાળ મેળવવા માટે RAWની મદદ પણ લેવાઈ રહી છે. આવી અનેક રજૂઆત એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટેમાં કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવના આજે વધુ 7 કેસ નોઁધાયા છે,આ તમામ કેસ કોરોનાનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.જ્યારે અત્યાર સુધીમાં 8ના મોત થઈ ગયા છે.અમદાવાદમાં કોરોનાના કુલ 7 નવા કેસમાં એક દિલ્હીના નિઝામુદ્દીન તબલિગી જમાતના મરકજમાં હાજરી આપનાર શખ્સનો પણ સમાવેશ થાય છે.