સુરત : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદ અને પછી ત્યાંથી સુરત આવ્યા છે.ગુજરાતમાં આજે બાગેશ્વર ધામના બાબા તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મુલાકાત કરી હતી.દરમિયાન સનાતન ધર્મને લઈને તેમણે કેટલીક વાત કરી હતી. તેમની સામે ઘણા ભાજપના મોટા કદના નેતાઓ પણ નમી પડ્યા હતા.બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી ગુજરાતમાં દિવ્ય દરબાર શરૂ થઈ રહ્યો છે.આજે જ્યારે તેઓ સુરત આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસો ચાલુ છે.
સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ એરપોર્ટની બહાર આવતાની સાથે જ જય દ્વારકાધીશ અને જય બાગેશ્વર ધામના નારા લગાવ્યા હતા.ત્યાર બાદ સુરતની જનતાએ તમામ પાગલોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે બાલાજીના આશીર્વાદ રહે છે.તેમણે કહ્યું કે એક દિવસીય દિવ્ય દરબાર છે અને બીજા દિવસે કથા અને ભભૂતિનું વિતરણ કરવામાં આવશે.સુરતની જનતાને સંદેશ આપતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસો ચાલુ છે.
સુરતના આ વૈભવી ફાર્મમાં રોકાયા બાબા બાગેશ્વર
સુરતમાં આજથી 2 દિવસ માટે ભરાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર… બાબાની એક ઝલક માટે દૂર દૂરથી ભક્તો સુરત પહોંચ્યા.શ્રી બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી ફાઈવ સ્ટાર હોટેલ અને રિસોર્ટને ટક્કર આપે એવા ફાર્મ હાઉસ ખાતે સુરતમાં રહેશે.તેઓ બે દિવસ સુધી સુરતના મોટા બિલ્ડર લવજી બાદશાહના લક્ઝુરીયસ ગોપિન ફાર્મ હાઉસમાં રોકાશે.તારીખ 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર યોજાશે,જેમાં અઢી લાખથી પણ વધુ લોકો હાજર રહેશે.દિવ્ય દરબાર પહેલા તેઓ એક કિલોમીટર લાંબો રોડ શો પણ કરશે,જેને લઇ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.તારીખ 26 અને 27 મે ના રોજ દિવ્ય દરબારમાં હાજરી આપવા પહેલા તેઓ સુરત પહોંચી ગયા છે.આ માટે તેઓ સુરતના નામાંકિત બિલ્ડરના ગોપીન ફાર્મ ખાતે રોકાયા છે.બાબા બાગેશ્વર બે દિવસ ત્યાં જ રોકાશે.આ ફાર્મ હાઉસ ગુજરાતના પ્રખ્યાત બિલ્ડર લવજી બાદશાહનો છે.ફાઇસટાર હોટલ અને રિસોર્ટ ને ટક્કર આપનાર આ ફાર્મ હાઉસ તાપી નદી કિનારે છે.જેની અંદર સ્વિમિંગ પૂલ,હોમ થિયેટર,સેલ્યુન,મંદિર અને સ્પાની તમામ સુવિધાઓ છે.જે એક હોટલની અંદર લોકોને મળતી હોય છે.આ ફાર્મ હાઉસનું ઇન્ટીરિયર આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે.ફાર્મ હાઉસ 20000 સ્ક્વેર મીટરમાં તૈયાર થયું છે.
બહુચર્ચિત અને હંમેશાથી વિવાદમાં રહેનાર બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસે સુરતની મુલાકાતે છે તેઓ દિવ્ય દરબારીઓ છે અને જે લોકો અરજી લઈને આવશે.તેમાંથી કેટલાક લોકોની સમસ્યા અંગે વાતચીત પણ કરશે.મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન અઢી લાખ લોકો આ દિવ્ય દરબારમાં બે દિવસ સુધી હાજરી આપશે.ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારમાં પહોંચવા પહેલા એક કિલોમીટર લાંબો ઓપન જીપ્સી રોડ શો કરશે અને દિવ્ય દરબારમાં રોડ શોના માધ્યમથી પ્રવેશ કરશે.હિન્દુ રાષ્ટ્ર અને સનાતન સિવાય અનેક ભક્તો ની અરજી અંગે ચોકાવનારો ખુલાસો ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં કરશે એવું માનવામાં આવી રહ્યું છે.
ધાર્મિક કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ સુધી જ્યારે સુરતમાં રોકાનાર છે,ત્યારે ચુસ્ત પોલીસ ગોઠવી દેવામાં આવશે.તેમના સભા સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અગાઉથી ગોઠવી દેવામાં આવ્યો છે.આશરે 1100 થી પણ વધુ પોલીસ કર્મચારીઓ તમામ જગ્યાએ તેનાત રહેશે.સાથે 500 થી પણ વધારે સુરક્ષા કર્મીઓ પ્રાઇવેટ કંપનીના પણ ત્યાં હાજર રહેશે.દિવ્ય દરબાર સ્થળે 22 જેટલી એન્ટ્રી ગેટ છે. 3 ડીસીપી 4 એસીપી અને છ જેટલા 6 પી.આઈ સહિત 8 પીએસઆઇ સુરક્ષા માટે રહેશે.

