નિયમ અનુસાર મુખ્યમંત્રી બન્યા બાદ ૬ મહિનામાં વિધાનસભ્ય બની જવુ પડેે
મુબઇઃ મહારાષ્ટ્ર સરકારે એક ઠરાવ પસાર કયો છે અને રાજયના ગવર્નર ભગતસિંહ કોશિયારીને કહ્યુ છે કે તેઓ મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેને વિધાન પરિષદના સદસ્ય તરીકે નિયુકત કરે,કારણ કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે પરિષદની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે હાલ રાજય વિધાનસભાના સદસ્ય નથી એટલે એમણે નિયમાનુસાર મુખ્ય પ્રધાનનો હોદોે સંભાળ્યાના છ મહિનાનીં અંદર વિધાનસભ્ય બની જવું પડે. એમણે ગયા વર્ષના નવેમ્બરમાં મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું.જો તેઓ વિધાનસભ્ય બની ન શકે તો એમણે હોદા પરથી રાજીનામું આપવું પડે. મહારાષ્ટ્રમાં હાલ ૩ પક્ષોની સંયુકત સરકાર છે. શિવસેના,રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોગ્રેસ પાર્ટી ગયા વર્ષે ખૂબ લંબાઈ ગયેલા અને નાટયાત્મક બની ગયેલા રાજકીય જંગને અંતે આ ત્રણ પાર્ટી મહાવિકાસ અઘાડી નામે નવું ગ્રુપ બનાવીને સતા પર આવી હતી.મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાઇરસે કાળો કેર વર્તાવ્યો છે.રાજયમાં અત્યારે સુધીમાં આ રોગના ૧,૧૩૫ કેસો નોંધાયા છે અને ૭ર જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.


